અયોધ્યાના રામ મંદિરની ભવ્યતા અને સુંદરતા- એક ક્લિક કરી જુઓ અહી

1989 માં પ્રસ્તાવિત મંદિરના મોડેલને વધુ ભવ્ય બનાવવામાં આવી રહ્યું છે. પહેલા મંદિરના મુખ્ય શિખરની ઉંચાઈ 128 ફૂટ હતી. હવે તે 161 ફૂટ હશે. ત્રણને બદલે, પાંચ ગુંબજો બનાવવામાં આવશે અને તેની નીચે ચાર ભાગો હશે અને એક મુખ્ય શિખર હશે. રામ મંદિરનો નકશો તૈયાર કરનાર ચીફ આર્કિટેક્ટ સોમપુરાના પુત્ર નિખિલ સોમપુરા કહે છે કે, કુલ જમીન 67 એકર છે. પરંતુ, મંદિર ફક્ત 2 એકરમાં જ બનાવવામાં આવશે. બાકી રહેલી 65 એકર જમીનમાં રામ મંદિર સંકુલનો વિસ્તાર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દેશનું સૌથી ભવ્ય મંદિર હશે.

રામ મંદિરના નિર્માણમાં રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. બંશી પહાડપુર વિસ્તારનો પથ્થર તેની શક્તિ અને સુંદરતા માટે વિશ્વ પ્રખ્યાત છે. તેની વિશેષતાને ધ્યાનમાં રાખીને, આ પત્થરો દેશના મોટા મંદિરો અને ઇમારતોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પથ્થરોને અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવાનો વિશેષ આદેશ આપવામાં આવ્યો છે.

રામ મંદિર નિર્માણ માટે આશરે ચાર લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. તેમાંથી લગભગ 2.75 લાખ ઘનફૂટ પથ્થર ભરતપુરના બંસી પહાડપુરના પથ્થરનો હશે. માટી પરીક્ષણના અહેવાલના આધારે, મંદિરનો પાયો ખોદવામાં આવશે. તે 20 થી 25 ફૂટ ઊંડા હોઈ શકે છે. પ્લેટફોર્મ કેટલું ઊંચું હશે તે અંગે રામ મંદિર ટ્રસ્ટ નિર્ણય કરશે. હાલમાં 12 ફૂટથી 14 ફૂટની ઉંચાઇની વાત છે.

આર્કિટેક્ટ પ્રોજેક્ટ મુજબ, મંદિરને તૈયાર કરવામાં ત્રણથી સાડા ત્રણ વર્ષનો સમય લાગશે. આ મંદિર ત્રણ માળનું હશે અને તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવામાં આવશે. 5 ઓગસ્ટે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના નિર્માણ માટે પ્રથમ ઇંટ મૂકશે, ત્યારબાદ સેંકડો વર્ષોની રામજન્મભૂમિની પ્રતીક્ષા સમાપ્ત થશે. અયોધ્યામાં મંદિરના ભૂમિપૂજન માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મંદિરમાં દરેક ફ્લોર પર 106 સ્તંભો મુકવામાં આવશે, પરંતુ એક માળના વધારા સાથે મંદિરમાં થાંભલાઓની સંખ્યા 212 થી વધીને 318 થઈ ગઈ છે. આ થાંભલાઓ 14 થી 16 ફૂટ ઊંચાઈ અને 8 ફૂટ વ્યાસની હશે. દરેક સ્તંભમાં યક્ષ-યક્ષણીની 16 મૂર્તિ લગાવવામાં આવશે.

જ્યાં પ્રથમ માળના ગર્ભગૃહમાં રામલાલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, ત્યાં બીજા માળે ગર્ભગૃહમાં રામ દરબાર સ્થાપિત કરવામાં આવશે. ત્રીજા માળાના ગર્ભગૃહમાં ભગવાન રામની કોઈપણ માર્મિંક થીમથી સંબંધિત મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *