અંતિમ સંસ્કારમાં ઉમટી પડી ભીડ, પોલીસ પહોચી તો થયો હુમલો- જાણો અહી

કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે lockdown ચાલુ છે.એવામાં અલગ-અલગ રાજ્યોમાં અંતિમ સંસ્કાર માટે પણ અલગ અલગ નિયમ કાયદાઓ બનાવીને રાખ્યા છે. આ નિયમોનું પાલન કરાવવું પોલીસ…

કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે lockdown ચાલુ છે.એવામાં અલગ-અલગ રાજ્યોમાં અંતિમ સંસ્કાર માટે પણ અલગ અલગ નિયમ કાયદાઓ બનાવીને રાખ્યા છે. આ નિયમોનું પાલન કરાવવું પોલીસ માટે એક ચુનોતી સાબિત થઇ રહી છે. હરિયાણામાં આવો છે કે મામલો સામે આવ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર હરિયાણાના  અંબાલામાં શનિવારે કોરોનાની એક સંદિગ્ધ મહિલા દર્દીનું મૃત્યુ થઈ ગયું. અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં ગામવાળાઓ મેદાન ઉપર પહોંચ્યા. સુચના મળતાની સાથે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો ભીડ પોલીસ સાથે જ અથડામણમાં ઉતરી આવી. આ ઘટના અંબાલાના ચાંદપુર ક્રીમેશન ગ્રાઉન્ડની જણાવવામાં આવી રહી છે.

જાણકારી અનુસાર પોલીસે લાઠી વીંઝી ને ભીડને વિખેરી. મૃતક મહિલાની કોરોનાથી સંક્રમણ થવાની પુષ્ટિ થઇ ન હતી.ઉલ્લેખનીય છે કે હરિયાણામાં પણ કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. આ પ્રદેશમાં કોરોનાના 36 થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે.

જણાવી દઈએ કે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં સંદીગ્ધોની શોધખોળ માટે પહોંચેલી પોલીસ ટીમો પર હુમલાની ઘટનાઓ સામે આવી હતી.ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે પોલીસ પર હુમલા કરનાર વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *