વડોદરા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલ વૃદ્ધ સાઈકલ સવારને કારચાલકે અડફેટે લેતાં થયું કરુણ મોત

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો હોવાં છતાં રાજ્ય સરકાર કોઈ યોગ્ય પગલા લઈ રહી નથી. હાલમાં રાજ્યમાં આવેલ વડોદરા શહેર નજીકથી ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરા શહેર પાસે આવેલ ઉંડેરા ગામમાં માતાજીના મંદિરે દર્શન કરીને પાછાં ફરી રહ્યાં હતાં.

આ દરમિયાન સાઈકલ સવાર વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. છેલ્લા 5 દિવસથી સારવાર પર રહેલા વૃદ્ધનું મોત નીપજતાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અજાણ્યો વાહન ચાલક વૃદ્ધને અડફેટે લઈને નાસી છૂટ્યો હતો
30 ડિસેમ્બરે વડોદરા શહેરમાં આવેલ ઉંડેરા ખાતેની નવી વસાહતમાં રહેતા 63 વર્ષનાં રતનસિંહ ચૌહાણ ઉંડેરામાં  તળાવ પાસે આવેલ મહાકાળી માતાના મંદિરે દર્શન કરીને સાઈકલ લઇ પાછાં ઘરે ફરી રહ્યા હતા. આ દરમિયાન નાળા નજીક કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો તેમજ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

હોસ્પિટલમાં સારવાર વખતે થયું વૃદ્ધનું મોત :
રતનસિંહ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજતાં જવાહરનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *