એકબાજુ બસનું ટાયર ફાટ્યું અને બીજીબાજુ સર્જાયો ભયંકર અકસ્માત- એકસાથે થયા આટલા માસુમોના મોત

દેશમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે ત્યારે હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે. ચેન્નઈથી પોન્ડિચેરી, મુંબઈથી પુણે, મુંબઈથી ગોવા અથવા તો અમદાવાદથી બરોડાનો હાઈવે જોઇને આપને એવું લાગતુ હશે કે, ભારતમાં માર્ગ ખુબ સારા છે પરંતુ હકીકત તો એ છે કે, ભારતના માર્ગ વિશ્વમાં સૌથી ખરાબ છે.

આ દરમિયાન ફરીવાર એક અકસ્માતનો કેસ સામે આવ્યો છે જેમાં એક બસનું ટાયર ફાટતા બે બસ અથડાઈ અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘણાં લોકો એક સાથે મૃત્યુ પામ્યા હતાં અને કેટલાંક ઘયલ પણ થયા હતાં.

જાણવા મળ્યું છે કે, રોડવેઝની બે બસો એક બીજા સાથે ટકરાઈ હતી. જીલ્લાના મેજિસ્ટ્રેટે માહિતી આપી છે કે, બસના ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો હતો. આને કારણે બસ બીજી બસ સાથે ટકરાઈ હતી.

આ અકસ્માતમાં 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં અને 30 જેટલા લોકો ઘાયલ થયાં હતાં. તેમાંથી 4ની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. આ અકસ્માતની ઘટના યુપીના અલીગઢના હરિયાણામાં સર્જાઈ હતી.

અત્રે ઉલેખનીય છે કે, ગત વર્ષના આ આંકડાઓ મુજબ રોજ કુલ 1,230 અકસ્માત થયા હતા. જેમાંથી કુલ 414 લોકોના મોત થયા હતા. દર કલાકે કુલ 51 અકસ્માતની સાથે કુલ 17 લોકોના મોત. મૃતકોમાં કુલ 57% લોકો એવાં હતા કે, જેઓ ચાલતા જઇ રહ્યા હતા, સાયકલ ચલાવી રહ્યા હતા અથવા તો બાઇક કે એક્ટિવા ચલાવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *