હાલમાં એક 33 વર્ષના યુવકે સવારે નોકરીએ જાવ છુ એમ કહી ઘરેથી નીકળ્યા બાદ મીંધોળા નદીના પુલ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યૂ છે. યુવકે નદીમાં કુદવા પહેલા પોતાની બેગમાં સુસાઇડ નોટ લખી હતી. બનાવની જાણ થતાં જ હોબાળો મચી જવા પામ્યો છે.
33 વર્ષનો રિતેશ હશમુખભાઇ ટેલર પ્રાઈવેટ કંપનીમાં નોકરીથી કંટાળી ગયો હતો અને સરકારી નોકરી ન મળતા પરેશાન રહેતો હતો. શનિવારના રોજ રિતેશભાઈ નોકરીએ જવા માટે નીકળવા પહેલા પત્ની સાથે શાકભાજી ખરીદવા પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
શાકભાજી લઈ પત્નીને ઘરે મૂક્યા બાદ નોકરીના ટેન્શનમા રહેતા રિતેશભાઈએ મીંઢોળા નદીના પુલ નજીક પોતાની બાઇક અને મોબાઈલ ફોન તેમજ બેગ અને બેગની અંદર સુસાઈડ નોટ લખીને મૂકી હોવાનું જાણવા મળ્યુ છે. જે સુસાઈડ નોટ બારડોલી પોલીસે કબજે લીધી હોવાનું સામે આવ્યું છે.
રિતેશભાઈએ પુલ પરથી નદીમાં મોતની છલંગ લગાવી હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમે ગણતરીના કલાકોમાં રિતેશભાઈનો મૃત દેહ શોધી નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ઘટના અંગે બારડોલી પોલીસ દ્વારા અમોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રિતેશભાઈએ લખેલ સુસાઈડ નોટમાં જણાવ્યા મુજબ હું સારો પતિ કે સારો પિતા બની શક્યો નથી, મારા પુત્રનું ધ્યાન રાખજો, મને ખાનગી કંપનીમાં નોકરીનું ટેન્શન રહે છે. સરકારી નોકરી મળી શકી નથી મને રાત્રે ઊંઘ પણ નથી આવતી. જેવુ લખાણ લખ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના બારડોલી નગરમાં બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle