ગુજરાતના આ ગામે સ્મશાનમાં નવી સગડી દાનમાં આપનાર દાતાની જ ત્યાં થઇ પ્રથમ અંતિમવિધિ

હાલ ચાલતી કોરોના મહામારીમાં પાટણ તાલુકાના બાલિસણા ગામે પાટીદાર યુવાનો દ્વારા તાજેતરમાં જુના સ્મશાનમાં સાફસૂફી કરીને ગામમાં જ અંતિમવિધી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દાનમાં મળેલ નવીન સગડી શનિવારે ફીટ કરવામાં આવી હતી. યોગાનુયોગ વૃદ્ધ નિવૃત્ત સારસ્વત અને દાતાનું 85 વર્ષની વયે નિધન થતા નવીન સગડી પર સૌપ્રથમ અગ્નિદાહ તેમનો જ થયો હતો.

જાણવા મળ્યું છે કે, સિદ્ધપુર મુક્તિધામ દ્વારા દૂરના મૃતકોને અંતિમવિધી માટે ન લાવવા અપીલ કરવામાં આવતા 5 ગામ લેઉવા પાટીદાર સમાજના મણુંદ, સંડેર અને બાલિસણા ગામોમાં જુના સ્મશાનોમાં અગ્નિદાહ શરૂ કરવામાં આવ્યા છે. બાલિસણા ગામે નીલકંઠ મહાદેવ નજીક અગ્નિદાહ દેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે બાલિસણા ગામના વતની અને જલોત્રા માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય હરજીવનભાઈ વણારસીભાઈ પટેલના દીકરા કમલેશભાઈ અને રાકેશભાઈ દ્વારા અમદાવાદ ખાતે આવેલ તેમની ફેક્ટરીમાં કાસ્ટિંગ સગડી બનાવીને ભેટ આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, છેલ્લા પંદર દિવસથી આ સગડી બાલિસણા ગામે આવી ગયા પછી શનિવારે તેને ફીટ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન હરજીવનભાઇ પટેલની તબિયત બીમારીના કારણે લથડી જતા 85 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. આ અંગે અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સવારે સગડી ફીટ કરાવી હતી અને તે સગડી પર સૌપ્રથમ અંતિમવિધી દાતા હરજીવનભાઈ પટેલની જ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *