ચૂંટણીઓના પરીણામનો જશ્ન ભાજપે કર્યો, હાલાકી જનતા ભોગવશે- વધ્યો રાત્રી કરફ્યુનો સમય- જાણો જલ્દી

સમગ્ર રાજ્યમાં સતત વધતા જઈ રહેલ રાત્રી કર્ફ્યુંને લઈ સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા આવતી કાલ એટલે કે, તા.17 માર્ચ 2021થી રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ 4 મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની પહેલાંની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારનાં 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરામાં લાદવામાં આવેલ રાત્રિ કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. હાલમાં કોર કમિટીની બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાતની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે, કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ ફર્ફ્યુ રાખવો તે નક્કી કરીને સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, કોરોના વેક્સિન પછી પોઝિટિવ થવાનો એકાદ કેસ સામે આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 14.50 લાખ વધારે ડોઝ મોકલવામાં આવ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.

રાત્રિ કર્ફ્યૂની મુદત પૂરી થઈ ગઈ :
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ રાત્રિ કર્ફ્યૂની મુદત ગઈકાલે જ પૂર્ણ થઈ ગઈ હતી. આવા સમયમાં નાયબ મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવા માટે મ્યુનિસિપલ કમિશનરોની સાથે ચર્ચા કરીને સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવા માટેની સૂચના આપવામાં આવી છે.

DyCM નીતિનભાઈ પટેલ કહ્યું હતુ કે, સમગ્ર રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને કમિશનરને યોગ્ય નિર્ણય લેવા માટે તથા જરૂરી પગલાં ભરવા માટે પણ છૂટ આપી દેવામાં આવી છે. જેને લઈ લોકો હવે જોઈએ આગળ શું કરે છે ?

રાતના 10 પછી ખાણી-પીણીના સ્ટોલ બંધ :
આની પહેલા પણ અમદાવાદમાં સતત વધતાં જઈ રહેલા કોરોનાના કેસોને લીધે 8 જેટલા વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા બાદ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા તથા મણિનગર વિસ્તારમાં રાત્ર્રીનાં 10 વાગ્યા બાદ હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *