5 દિવસમાં પાંચ પરિવારના સભ્યો ગુમાવ્યા તેમછતાં સઘળું દુ:ખ ભૂલાવીને બીજા જ દિવસે ડ્યુટી પર જોડાયા એમ્બ્યુલન્સ ડ્રાઈવર પ્રવીણભાઈ

કહેવાય છે કે, માનવ સેવાથી મોટી કોઈ સેવા નથી. કોરોના મહામારીમાં અનેક એવા લોકો છે, જેઓ કપરામાં કપરી સ્થિતિમાં પણ મદદનો હાથ લંબાવ્યો છે. આ…

કહેવાય છે કે, માનવ સેવાથી મોટી કોઈ સેવા નથી. કોરોના મહામારીમાં અનેક એવા લોકો છે, જેઓ કપરામાં કપરી સ્થિતિમાં પણ મદદનો હાથ લંબાવ્યો છે. આ દરમિયાન ગોધરા તાલુકના 108 એમ્બ્યુલન્સના એક ડ્રાઈવરે પરિવારના પાંચ સભ્યોને ગુમાવ્યા છતાં બીજા દિવસે ફરજ પર હાજર રહી ગયા હતા. આ મહામારીમાં પોતાની સેવાની જરૂર છે, તેવુ સમજીને તેઓ તાત્કાલિક ડ્યુટીમાં જોડાઈ ગયા હતા.

આ કાર્ય કરીને ગોધરા તાલુકના પ્રવીણ બારીયાએ જાણે કારોના કાળ વચ્ચે માનવતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. મળતી માહિતી મુજબ, માત્ર પાંચ દિવસના સમયગાળામાં તેમણે પોતાના પરિવારના પાંચ સભ્યોને ગુમાવ્યા હતા. છતાં તેઓ છઠ્ઠા દિવસે ફરજ પર આવી ગયા હતા. ફક્ત પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યા, છતાં સઘળુ દુ:ખ ભૂલાવીને તેઓ કામમાં જોડાઈ ગયા હતા.

મૂળ મોરવા હડફ તાલુકના ખાનપુર ગામના વતની પ્રવીણ બારીયા ગોધરામાં 10 માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. છેલ્લાં 12 વર્ષથી તેઓ આ સેવા આપે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણ બારીયાએ એક પણ રજા લીધા વગર એકધારી સેવા આપી છે. જાણવા મળ્યું છે કે, થોડા દિવસ પહેલા પ્રવીણ બારીયાનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. પહેલા તેમના માતા-પિતા કોરોનાગ્રસ્ત થયા હતા.

માતા-પિતા હોસ્પિટલમાં દાખલ હતા એ વચ્ચે પણ તેમણે પોતાની સેવા ચાલુ રાખી હતી. પરંતુ 21 એપ્રિલના રોજ તેમના પિતા સબુરભાઈ બારીયાનું નિધન થયું હતું. બારીયા પરિવાર આ આઘાત જીરવી શકે તે પહેલા જ 25 એપ્રિલના રોજ તેમના માતા કમળા બેન તેમજ પ્રવીણભાઈના સગા કાકા-કાકી અને કાકાનો પુત્ર એમ ચાર લોકોનું નિધન થયું હતું.

એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનથી પ્રવીણભાઈના જીવનમાં જાણે આભ તૂટી પડ્યું હતું. ત્યારબાદ તેમણે એકસાથે ચાર પરિવારજનોના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો. પરંતુ પરિસ્થિતિ પારખીને પ્રવીણભાઈ ફરીથી પોતાની કામગીરીમાં જોડાઈ ગયા હતા. હાલ આ મહામારીમાં પોતાની જરૂર છે તે સમજીને બીજા જ દિવસે તેઓ ફરજ પર જોડાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *