સુરેન્દ્રનગરથી સગાઇ કરીને રીટર્ન થતા પરિવારને નડ્યો અકસ્માત, કારના ઉડ્યા ફુરચા અને પરિવારના તમામ સભ્યો…

હાલમાં અકસ્માતના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે. મોટા ભાગના લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે જેમાં એકસાથે 3 કાર વચ્ચે ટક્કર થઈ છે.

મૂળી ચોટીલા રોડ પર ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાર્યો હતો. જેમાં એક આધેડનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ છે. આ ઉપરાંત અન્ય આઠ જેટલા લોકોને ઇજાઓ પહોંચી છે જેમને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

ચોટીલા રોડ પર ભાડુકા નજીક બપોરનાં સમયે સુરેન્દ્રનગરથી ત્રણ કાર સગાઇ કરીને રાજકોટ જવા નીકળી હતી. આ દરમિયાન આ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં દાણાવાડા રાજકોટ સહિતનાં ઇજાગ્રસ્ત થયેલ આઠ લોકોને ખાનગી વાહનમાં મૂળી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ઉપરાંત આ આઠ લોકોને તાત્કાલિક મૂળી 108 દ્વારા સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *