અમદાવાદમાં માતાને પીડામુક્ત કરવા 14 વર્ષીય દીકરો બન્યો હત્યારો- જાણો સમગ્ર ઘટના

આજકાલના બાળકો હવે નાના-મોટા ગુનાથી આગળ વધીને અત્યંત ક્રૂર ગુના કરવા લાગ્યા છે. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે જેમાં આખું ટીનેજનું ગ્રૂપ…

આજકાલના બાળકો હવે નાના-મોટા ગુનાથી આગળ વધીને અત્યંત ક્રૂર ગુના કરવા લાગ્યા છે. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે જેમાં આખું ટીનેજનું ગ્રૂપ ગુનામાં સામેલ થઈને ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. અહી એક મહિલા 10 વર્ષ પહેલાં તેના બે બાળકો સાથે ઘરેથી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બાળક નાનું હતું પણ ધીમે ધીમે ખબર પડી કે, તે અજાણ્યો વ્યક્તિ તાના પિતા નથી અને પછી બાળકના મનમાં વિચાર આવ્યો કે જે વ્યક્તિ મને અને મારી માં પર અત્યાચાર કરે છે તેને રસ્તામાંથી હટાવી દેવો જોઈએ. આખરે 6 ટીનેજ બાળકોએ ભેગા મળીને તેની હત્યા કરી હતી.

જાણવા મળ્યું છે કે, આ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવાદના કેલિકો મિલ કમ્પાઉન્ડમાં એક યુવકની અસંખ્ય છરીના ઘા ઝિંકી અને પથ્થરથી છુંદેલી લાશ મળી આવી હતી. યુવકની હત્યા એટલી ઘાતકી હતી કે, એક નજરે જોતા કોઈને પણ અરેરાટી થઈ જાય અને શરીર પર એટલી બધી ઈજા હતી કે, કોઈ લોકોએ નિર્દયતાથી માર્યો હોય તેવી શંકા પોલીસને સેવાઈ રહી છે.

આ દરમિયાન પોલીસ આ કેસની તપાસ કરતી હતી ત્યારે પોલીસને એક કડી મળી અને તેના આધારે પોલીસ એક 14 વર્ષના લબરમુછીયા પાસે પહોંચી અને ત્યારબાદ પોલીસને આખી કડી મળવા લાગી હતી. પણ આ હત્યા પાછળ કોઈ ત્વરિત ગુસ્સો નહીં પણ નાનપણથી બાળકના માનસમાં છુપાયેલ ડર, અત્યાચાર અને માર જેવા કારણો જવાબદાર હતા.

આ કિસ્સો એક ચાર વર્ષના નાના બાળકથી શરૂ થઈને 14 વર્ષ સુધી પહોંચેલા બાળકનો છે. જેણે ક્યારેય પ્રેમ જોયો નથી તે પોતાની સાથે કે માતા સાથે થયેલા અત્યાચારને જ જીવન સમજતો હતો. જાણવા મળ્યું છે કે, જયારે તે ચાર વર્ષનો હતો ત્યારે તેની માતા રેશમાને મહંમદરફીક રિયાઝ પઠાણ નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો અને રેશમા તેના બાળક રેહાન સાથે લઈને તેનાં પ્રેમી સાથે રહેવા જતી રહી હતી.

રેહાનને ખબર નહોતી કે તે જે યુવક સાથે રહે છે તે તેનો પિતા નથી. પરંતુ મોટા થતા તેના અન્ય મિત્રો સાથે વાત કરતો ત્યારે ખબર પડતી કે, પિતા બાળકને પ્રેમ કરતા હોય છે પણ તે વ્યક્તિ રેહાનને દીકરાની જેમ રાખતો ન હતો. રોજ રોજ બાળ માનસ પર તેની અસર થવા લાગી. અને રેહાન બીજા મિત્રોને પોતાની સાથે સરખાવતો હતો. રેહાન રોજ તે વ્યક્તિ સાથે રહેતો જે તેને માર મારતો હતો. એટલું જ નહીં તેની માતા પર પણ અત્યાચાર કરતો હતો અને બધાની હાજરીમાં તેને માર મારતો હતો.

હાલ રેહાન 14 વર્ષનો થઈ ગયો હતો. હવે તેના મનમાં પોતાના પ્રત્યે ધૃણા અને અત્યાચાર કરનાર વ્યક્તિ સામે બદલો લેવાનો ભાવ જાગ્યો હતો. રેહાન રોજ તેના મિત્રો સાથે બેસતો અને કહેતો કે, હવે આ બધું સહન નથી કરવું અને આ બધામાં તેના મિત્રો પણ તેનો સાથ આપતા ગયા. આ દરમિયાન એક દિવસ રેહાન અને તેના મિત્રોએ નાની ઉંમરમાં જ ગુના કરવાનો પ્લાન કર્યો હતો.

રેહાને પહેલાથી જ તેના પર અત્યાચાર કરનાર વ્યક્તિને સબક શીખવાડવા માટે જગ્યા અને હથિયાર ભેગા કરી રાખ્યા હતા. જેના આધારે મૃતક મહંમદરફીક રિયાઝ પઠાણ ત્યાં પહોંચ્યો અને જેવો રીયાઝ ત્યાં પહોંચ્યો તેઓ તેના પર હથિયાર વડે તૂટી પડ્યા હતા. તેના પર સતત હથિયારોના ઘા જિંકતા તે ત્યાં જ પડી ગયો અને લોહીલુહાણ થઈ ગયો હતો.

આટલું ઓછું હતું તો, બધા મિત્રો ભેગા થઈને યુવક પર પથ્થર મારીને તેને છુંદી નાખ્યો હતો અને જ્યાં સુધી તેમને ખરાઈ ન થઇ ત્યાં સુધી મારતા જ રહ્યા હતા. આ સમગ્ર ઘાતકી હત્યા અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકમાં હત્યા કરનાર બાળકને પકડી લેવામાં આવ્યો છે. જેના મૂળમાં રહેલું કારણ અને બાળમાનસને થયેલી અસરથી બાળક ગુનો કરવા તરફ દોરાયું હોવાનું પોલીસ માની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *