દાહોદના ડોકટરે 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢી આપ્યું નવજીવન

ગુજરાતના દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરી 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. ડોકટરોએ ઓપરેશન બાદ હાલ દર્દીની તબિયત સારી છે. જો આ ગાંઠ સમયસર કાઢવામાં ન આવી હોત તો દર્દીનું મૃતીયુ નિશ્ચિત હતું.

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં તારીખ 30 મેના રોજ એક 16 વર્ષની કિશોરીને દાખલ કરવામાં આવી હતી. તેણે પેટમાં ખુબજ દુખાવો થતો હતો. આ કિશોરીને પેટમાં દુખાવા સાથે ઉલ્ટીઓ પણ થતી હતી. અને તેને કારણે તે ખોરાક પણ લઇ શક્તી ન હતી. જેથી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગાયનેક સર્જન ડો.કનિષ્ક નાયક તેની સારવાર કરી રહ્યાં હતા. તેમણે તેના લોહીના રિપોર્ટ કરાવ્યા હતા અને તેની સાથે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. ત્યારે તેના અંડાશયમાં ગાંઠ હોવાનું માલૂમ પડ્યુ હતુ. જેથી તેનું ઓપરેશન કરવું જરૂરી હતુ. તેના વાલીઓ સાથે વાત કરી ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. અને તેના માટે વાલીઓએ પણ સંમત્તિ આપી હતી.

ગાયનેક સર્જન ડો.કનિષ્ક, એનેસ્થેટીસ ડો.અમી અને ડો.આનંદની ટીમ સ્ટાફ નર્સ દ્વારા ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતુ અને કિશોરીના અંડાશયમાંથી ગાંઠ દુર કરવામાં આવવી હતી. ગાંઠનું વજન કરતાં 4 કિલોની છે. આ ગાંઠને ઓવેરીન સાયસ્ટીક માસ કહેવામાં આવે છે. આ ઓપરેશન ખાનગી દવાખાનામાં કરવામાં આવતું તો દર્દીના વાલીઓને ઘણો મોટો ખર્ચ કરવો પડેત પરંતુ ઝાયડસમાં નિઃશુલ્ક શસ્ત્રક્રિયા કરાતાં કિશોરીનું જીવન પણ બચી ગયુ છે અને વાલીઓનાં નાંણા પણ બચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *