અમદાવાદમાં સગાઈના 10 દિવસ પહેલાં કાળનો કોળીયો બની યુવતી; ટ્રેલરે ટક્કર મારતાં મોત

Ahemdabad Accident: રાજયમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે અકસ્માતોની ભરમાર વચ્ચે ફરી એકવાર અમદાવાદ શહેરના ઓઢવ રીંગ રોડ પર અકસ્માત(Ahemdabad Accident) સર્જાયો છે. જેમાં ટેલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં એક નિર્દોષ યુવતીનું અકાળે મોત થયું છે.

યુવતીનું ઘટના સ્થળે જ અકાળે થયું મોત
વિગતે વાત કરવામાં આવે તો એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે જ મોત થઈ જતા પંથકમાં અત્યારે એરેરાટી વ્યાપી છે. મળતી વિગતો પ્રમાણે લેબ ટેકનીશીયન તરીકે કામ કરતી માનસી સગર નામની યુવતીનું ઘટના સ્થળે જ અકાળે મોત થયું છે. યુવતી ઓફિસેથી પોતાના ઘરે જઈ રહીં હતી તે સમયે આ ઘટના બની હતી. માનસી સગર નામની યુવતી નિકોલના ઉતમનગર વિસ્તારમાંથી પસાર થઈ રહીં હતી ત્યારે આ ઘટના બની હતી.ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

પરિવાર શોકમાં ગરકાવ
આ અકસ્માતના કારણે યુવતીનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે. આ સાથે જ તેની માતાનું પણ ભારે આક્રન્દ જોવા મળ્યું હતું. યુવતીની 21 તારીખે સગાઇ નક્કી હોવાથી તેના સાસરિયા પક્ષમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અકસ્માતો ક્યારે અટકશે?
અહીં પ્રશ્ને એ થાય છે કે, આ છાસવારે થતા અકસ્માતો ક્યારે અટકશે? કારણ કે, આ જે યુવતીનું મોત થયું છે તે માનસી સગરની 21 તારીકે સગાઈ થવાની હતી. ઘણા સમયથી પ્રેમલગ્ન માટે પોતાના પરિવારને મનાવી રહીં હતી. આખરે ઘણા સમય બાદ તેનો પરિવાર પ્રેમલગ્ન માટે માની ગયો પરંતુ માનસીને ક્યા ખબર હતી કે, તેને આમ પોતાના ભાવી ભરથાર સાથે સગાઈ કર્યા પહેલા અકાળે મોતને ભેટવું પડશે?

તેણે તો પોતાના નવા જીવનના અભરખા સેવી રાખ્યા હતા. પણ કદાચ કુદરતને પસંદ નહીં હોય! આખરે કેમ દર વખતે આવા વાહન ચાલકોના પાપે નિર્દોષ લોકોના મોત થતા રહેશે? આમાં કોઈ આકરા પગલા લેવાશે કે કેમ? આખરે હજૂ કેટલા જીવ આ રીતે અકાળે જશે?