મોરબી તરફથી આવતા છકડાએ નવ વર્ષની માસુમ બાળકીને અડફેટે લેતા દુ:ખદ મોત

સુરેદ્રનગર(ગુજરાત): હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે મોરબી તરફથી આવતા છકડાના ચાલકે નવ વર્ષની માસુમ બાળકીને અડફેટે લેતા બાળકીનું ઘટનાસ્થળે જ દુ:ખદ મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવીને મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અને અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાઈદેસરની કાર્યવાહી શરુ કરી હતી.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, આજે સવારના 9 વાગ્યાની આસપાસ હળવદ તાલુકાનાં ચરાડવા ગામ નજીક આવેલા ભવાની પેટ્રોલ પંપ પાસે મુળ મધ્યપ્રદેશના અને હાલ ચરાડવા ખાતે મજૂરી કરતા રાકેશભાઇની નવ વર્ષની દીકરી રીના રોડ પર ચાલીને જતી હતી, ત્યારે મોરબી તરફથી આવતા અજાણ્યા છકડાના ચાલકે અડફેટે લેતા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને કારણે તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું.

છકડાના ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચીને મૃતક બાળકીની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી અજાણ્યા છકડાના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *