સુરતના એક પટેલ ભાઈએ ભાજપના MLAને સવાલ પૂછ્યો- કોરોનામાં ક્યા હતા? તો ધારાસભ્યએ પીધેલો કહીને આખી રાત ખવડાવી જેલની હવા

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો…

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે. હવે વોટ માંગવા માટે ઘરે -ઘરે જઈને મતદારોને રિજવી પણ રહ્યા છે.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરત શહેરના ડભોલી વિસ્તારમાં આવેલી હરિ દર્શન સોસાયટીમાં કતારગામ વિસ્તારના ભાજપના ધારાસભ્યને સવાલ પૂછ્યો તો પોલીસ દ્વારા જેલની હવા ખવડાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાજપની ચૂંટણીપ્રચાર સભામાં રાજુભાઇ જોધાણી અને તેના પિતા મગનભાઈ જોધાણીને દારૂના નશામાં લવારા કરતા હોવાનો આરોપ મૂકી પોલીસને સોંપી દેવાયા હતા. બંને પિતા-પુત્રને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી રખાયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ડભોલી વિસ્તારમાં આવેલી હરિ દર્શન સોસાયટીમાં ભાજપની ચૂંટણીપ્રચાર સભા હતી, જેમાં કતારગામના ભાજપના ધારાસભ્યને સોસાયટીના રહીશ રાજુભાઈ જોધાણીએ સવાલ કર્યા હતા, જેમાં કહ્યું હતું કે સાહેબ, કોરોનામાં તમે ક્યાં ગયા હતા? સિવિલના કોઈ ઠેકાણાં ન હતાં અને ગાંઠના પૈસે અમારી સોસાયટીમાં રસ્તા બનાવ્યા છે. અમને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના કાયદા હેઠળ દંડ ભરાવ્યા. તમારી સભામાં કોણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે? 15 વર્ષથી વેરો ભરીએ છીએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્યને સવાલ કરવામાં આવતાં રાજુભાઇ જોધાણી અને 71 વર્ષીય પિતા મગનભાઈ જોધાણીને દારૂના નશામાં લવારા કરતા હોવાનો આરોપ મૂકી પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. બન્ને પિતા-પુત્રને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી રખાયા હતા. કાયદાના રખેવાળ પર પણ ભરોસો ન મુકાઈ એવી સ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય નાગરિકને સવાલ પૂછવાનો હક્ક પણ છીનવી લેવાયો હોવાનું ઉદાહરણ છે.

મગનભાઈ જોધાણીએ જણાવ્યું હતું કે, મારો દીકરો રાજુ ઘરે આવ્યા બાદ ભાજપની સભામાં ગયો હતો, જેમાં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ કહ્યું કે, આ પીધેલો આવ્યો છે; તેને બહાર નાખી આવો. જેથી બે-ચાર જણા તેને બહાર નાખવા જતા હતા, જેની જાણ થતાં હું ગયો હતો. હું સોસાયટીનો મંત્રી હતો ત્યારે વિનુ મોરડિયાએ મને બે-ત્રણવાર અપમાનિત કર્યો હતો. જેથી મે મંત્રીપદ છોડી દીધું હતું. મેં મારા દીકરાને પણ સમજાવ્યો હતો. ત્યાર બાદ રાત્રે પોલીસ આવીને અમને બનેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *