મુસાફરોથી ખચોખચ ભરેલી એસટી બસ ભડકે બળી, 20થી વધુ પેસેન્જરો…

છેલ્લા થોડા દિવસોથી બસમાં આગ(fire) લાગવાની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના લીંબડી(Limbdi) નજીક પેસેન્જરો અને વિદ્યાર્થીઓ ભરેલી એસટી બસ (ST Bus)માં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ દરમિયાન બસમાં 20થી વધુ પેસેન્જરો સવાર હતા. જેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ બસ લીંબડીના નાની કઠેચીથી લીંબડી આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. બસમાં શોર્ટસર્કિટ સર્જાતાં આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

બસમાં વિદ્યાર્થીઓ સહિત અન્ય પેસેન્જરો હતા:
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક પેસેન્જરો અને વિદ્યાર્થીઓ ભરેલી એસટી બસમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ડ્રાઇવર અને કંડક્ટર સહિત બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો.

ફાયરબ્રિગેડની ટીમ પહોંચે એ પહેલાં બસ બળીને ખાખ થઈ:
આ બસ પળવારમાં જ બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી, પરંતુ એ પહેલાં જ સંપૂર્ણપણે એસટી બસ સળગી ગઈ હતી, પરંતુ સદભાગ્યે આ આગની ઘટનામાં બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થતાં મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *