અકસ્માત કે આપઘાત? રેલવે ટ્રેક પરથી મહિલાની લાશ મળી આવતા મચ્યો ફફડાટ- જાણો ક્યાંની છે ઘટના

ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar)ના જોરાવર નગર(Joravarnagar) વઢવાણ(Wadhwan) વચ્ચે આવેલા રેલવે ટ્રેક(Railway track) ઉપરથી એક પરિણિતાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ અકસ્માત(Accident) છે કે આત્મહત્યા…

ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar)ના જોરાવર નગર(Joravarnagar) વઢવાણ(Wadhwan) વચ્ચે આવેલા રેલવે ટ્રેક(Railway track) ઉપરથી એક પરિણિતાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ અકસ્માત(Accident) છે કે આત્મહત્યા તે બનાવ છે તેને લઈ હજુ રહસ્ય ઘેરાયુ જોવા મળી રહ્યું છે. આ મામલે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના જોરાવરનગરના સદગુરૂ ગોલાવાળાના પરિવારમાં આરતીબેન રાજુભાઈ પોપટ (ઉ.વ.34)ની મૃતદેહ જોરાવરનગર વઢવાણ વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ સ્ટેશનમાં આ ઘટના ટ્રેન અડફેટે અકસ્માતનો સવારે 10-35 કલાકે બન્યો હોવાનું તથા બપોરે 3 વાગ્યે લક્ષ્મીચંદભાઈ રવજીભાઈ પોપટ (રહે. જુની શાકમાર્કેટ વાળી ગલી, જોરાવરનગર)એ જાહેર કર્યું હોવાનું નોંધવવામાં આવ્યો છે. જોરાવરનગરમાં આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે અને એક ચર્ચાનો વિષય જાગ્યો છે.

લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે, મૃતક આરતીબેને ટ્રેન સામે પડતુ મુકીને આત્મહત્યા કરી છે. પિયર જવા મામલે આનાકાની થતા માઠુ લાગવાથી આ પગલુ ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, મૃતક આરતીબેનને બે દિકરીઓ 13 વર્ષ અને 7 વર્ષની માતા છે. જોરાવરનગર પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *