સુરેન્દ્રનગરમાં બે પરિવાર વચ્ચેની બબાલમાં એક યુવકનું મોત, કારણ જાણી ચોંકી ઉઠશો

હત્યા (Murder)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જાય છે. એવામાં સુરેન્દ્રનગર(Surendranagar) જીલ્લાના સાયલા(Sayla) તાલુકાના મદારગઢ(Madargarh) ગામમાંથી વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. અહીં, પરિણીત મહિલાને ફોન નંબર આપવાના મામલે 2 પરિવારના સભ્યો વચ્ચે રાત્રીના સમયે છરી, ધારીયા તથા લાકડી જેવા ઘાતક હથિયારો સાથે ધિંગાણું ખેલાયું હતું. જેમાં પેટમાં છરીના ઘા ઝીંકીને મદારગઢના મહિલા સરપંચના યુવા પુત્રની હત્યા કરી દેવામાં આવી હતી. આ સિવાય અન્ય 4 પણ ઘાયલ થયા હતા, જેઓની હાલ હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકના અગ્નિ સંસ્કાર કરાયા:
આ ઘટનામાં સાયલા તાલુકાના મદારગઢ ગામના મહિલા સરપંચના પુત્રની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તેમજ રોષે ભરાયેલા હોવાને કારણે મૃતકના અગ્નિ સંસ્કાર પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, મદારગઢ ગામે કુકડિયા અને કટોસણા સાખના 2 પરિવાર રહે છે. જેમાં કુકડિયા પરિવારના મહિલા સરપંચ હોદ્દા પર છે. હાલ પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પેટમાં છરીના ઘા ઝીકીને હત્યા કરાઈ હતી:
પ્રાપ્ત વિગતો મુજબ, બુધવારે રાતે દીકરીના પાકીટમાંથી ફોન નંબર મળી આવ્યો હતો. જે અંગે ચર્ચા કરવા માટે બંને પરિવરના લોકો એકઠા થયા હતા. જેમાં ચર્ચા ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા બંને પક્ષના આરોપીઓએ એક બીજા ઉપર છરી અને ધારિયાના ઘા ઝીંકવાની શરૂઆત કરી હતી. જેથી ધીંગાણું થયું હતું.

આ દરમિયાન જયેશભાઇ પરશોતમભાઇ કુકડિયાને પકડીને પેટમાં છરીના ઘા ઝીકીને ક્રુરતાથી હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે તેમના કૌંટુંબીકભાઇને પણ છરીને ઘા ઝીકી દેતા સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. 2 પરિવાર વચ્ચેના હુમલામાં એક યુવાનની હત્યા અને બંને પક્ષે કુલ 4 શખસ ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી:
આ બનાવમાં ​​​​​​​બંને પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં એક પક્ષે 6 શખસ વિરુદ્ધ જયારે બીજા પક્ષે 8 આરોપી સામે ફરિયાદ નોંધાવાઈ છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલા સરપંચના પુત્રની હત્યાને કારણે તેમના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

પરિણીતાના પતિએ સાસરીમાં વાત કરતા મામલો બહાર આવ્યો:
જયેશભાઇના કાકાની દીકરીના લગ્ન કરી દીધા હતા. દીકરી સાસરે હતી ત્યારે તેના પાકીટમાંથી અજય હરસુખ કોટોસણાનો ફોન નંબર મળી આવ્યો હતો. આથી તેના પતિએ સાસરીમાં વાત કરી હતી. જેના કારણે આ સમગ્ર ઘટના બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *