ત્રણ સંતાનોની માતા સાથે લિવ ઇનમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત – સમગ્ર પંથકમાં મચ્યો ખળભળાટ

વલસાડ(Valsad): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં વધુ એક આપઘાતની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે,…

વલસાડ(Valsad): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં વધુ એક આપઘાતની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, મૂળ પારડી(Pardi) તાલુકાના તિઘરા(Tighra) ગામની મનીષાબેન નટુભાઈ હળપતિ(29) આજથી દસેક વર્ષ અગાઉ ઓરવાડ (Orwad)ના યુવક લગ્ન થયા હતા. તેમજ તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરી પણ છે. પરંતુ આ પછી મનીષાબેનને પારડી ડુંગરીના બેરવાડ ખાતે રહેતા અજયભાઈ ચમારભાઈ સાથે મિત્રતા થતાં તેમના વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

પ્રેમ સંબંધના કારણે તે વર્ષ 2021ના જુલાઈ માસથી તેના ત્રણ બાળકોને લઇને અજય સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ દરમિયાન ગત ગુરુવારની રાત્રીના મનીષાનો અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી અજયે ઝઘડો કર્યો હતો અને મનીષાને મારતા તે તેના બાળકો અને નણંદને લઈ ઘર બહાર નીકળી ગઈ હતી. ત્યારે આ ઝઘડામાં માઠું લાગી આવતા અજયે ઘરના પતરાની એંગલ સાથે લેગિંસ બાંધી ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

જાણવા મળ્યું છે કે, મનીષા બે અઢી કલાક પછી તરત જ બાળકો સાથે પરત ઘરે ફરી હતી. આ દરમિયાન આ ઘટના સામે આવી હતી અને તેને બૂમા બૂમ કરતાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. આ અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવી હતી. તેથી પોલીસ તાત્કલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે લાશનો કબ્જો લઈ પારડી CHC ખાતે લઈ આવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *