એવી તો શું આફત આવી પડી કે, સુરતના સરથાણામાં 66 વર્ષીય વૃદ્ધે છાતીમાં ગોળી મારી કરી લીધો આપઘાત

સુરત(Surat): હત્યા(Murder) તેમજ આપઘાતના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. એવામાં વધુ એક આપઘાતનો કિસ્સો…

સુરત(Surat): હત્યા(Murder) તેમજ આપઘાતના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. એવામાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, સુરતના સરથાણા(Sarthana) વિસ્તારમાં 66 વર્ષીય વૃદ્ધે પોતાને ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. છાતીના ભાગે જ ગોળી મારતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાસ્તવમાં, સરથાણા વિસ્તારમાં આવેલ સનસ્ટાર સીટી રો હાઉસમાં રહેતા બાલુભાઈએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો હતો. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેમના સંતાનો વિદેશમાં હતા અને બાલુભાઈ પોતાની વૃદ્ધ માતા સાથે અહીં રેહતા હતા.

જોકે બાલુભાઈને કોલોસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા અને જેને લઈને બાલુભાઈ સતત માનસિક તાણ અનુભવતા હતા. જેના કારણે છેવટે બીજો કોઈ રસ્તો ન મળતા બાલુભાઈએ ફાયરીંગ કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ તાત્કાલીક પણે બાલુભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરો દ્વારા બાલુભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે બનાવ બનતા સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *