કેજરીવાલ સરકારના મંત્રીએ આપ્યું રાજીનામું, લેટર બોમ્બથી થયો મોટો ઘટસ્ફોટ- વાંચો અહીંયા

દિલ્હી સરકાર(Delhi Govt)ના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે(Rajendra Pal Gauta) રાજીનામું આપી દીધું છે. તે હાલમાં જ દેવી-દેવતાઓ પરના પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા, જેના…

દિલ્હી સરકાર(Delhi Govt)ના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે(Rajendra Pal Gauta) રાજીનામું આપી દીધું છે. તે હાલમાં જ દેવી-દેવતાઓ પરના પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા, જેના પછી ઘણો હંગામો થયો હતો. રાજીનામાનો પત્ર ટ્વીટ કરીને તેમણે લખ્યું, ‘આજે મહર્ષિ વાલ્મીકિજીનો પ્રાગટ્ય દિવસ છે અને બીજી તરફ માન્યાવર કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંયોગમાં આજે હું અનેક બંધનોમાંથી મુક્ત થયો હતો અને આજે મારો નવો જન્મ થયો છે. હવે હું સમાજ પરના અધિકારો અને અત્યાચારની લડાઈ કોઈપણ બંધન વિના વધુ મક્કમતાથી ચાલુ રાખીશ.’

જણાવી દઈએ કે રાજેન્દ્ર પાલ ગૌતમે ધર્મ પરિવર્તન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેણે હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. જે બાદ ભારે હોબાળો થયો હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે, સીએમ અરવિંદ કેજરીવાલ રાજેન્દ્ર ગૌતમથી ખૂબ નારાજ હતા. ભાજપે આમ આદમી પાર્ટી પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપે આપ્યું હતું અલ્ટીમેટમ:
ભાજપે કેજરીવાલને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, તમામ ધર્મોનું સન્માન કરવાનો દાવો કરનારા કેજરીવાલ ગૌતમનું 24 કલાકની અંદર રાજીનામું લઇ લે. ગૌતમનો બચાવ કાલ્પનિક છે. કોઈ પણ ધર્મ કોઈને હિંદુ ધર્મનું અપમાન કરવાનો અધિકાર આપતો નથી. કેજરીવાલના મંત્રી દ્વારા બોલવામાં આવેલો શબ્દ માત્ર ગેરબંધારણીય નથી, પરંતુ તે સમાજની સંવાદિતા વિરુદ્ધ છે.

રામ-કૃષ્ણને ભગવાનમાં ન માનવાની શપથ લેવડાવવામાં આવી હતી:
નોંધનીય છે કે, ભાજપના નેતાઓ દ્વારા શેર કરવામાં આવેલા રાજેન્દ્ર ગૌતમના વીડિયોમાં બૌદ્ધ સંતો લોકોને શપથ લેવડાવતા જોવા મળે છે. શપથ સમયે રાજેન્દ્ર પાલ ગૌતમ સ્ટેજ પર જ હાજર જોવા મળે છે. શપથમાં કહેવામાં આવી રહ્યું છે… હું ક્યારેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ભગવાન નહીં માનીશ અને ન તો તેમની પૂજા કરીશ. હું રામ અને કૃષ્ણને ભગવાન નહીં માનીશ અને ક્યારેય તેમની પૂજા કરીશ નહીં. હું ગૌરી ગણપતિ વગેરે જેવા હિંદુ ધર્મના કોઈ દેવી-દેવતાઓને માનતો નથી કે તેની પૂજા કરીશ નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે વિજયાદશમીના દિવસે દિલ્હીના કરોલબાગ સ્થિત આંબેડકર ભવનમાં રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીમાં આ કાર્યક્રમ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *