ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા મિત્રોને નડ્યો ભયંકર અકસ્માત- તડપી તડપીને મોતને ભેટ્યા ચાર યુવકો

Rajkot-Ahmedabad highway accident: અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સદમે આવતી રહે છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે અવી છે. રાજકોટ- અમદાવાદ હાઇવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. હાઈવે પર માલિયાસણ ગામ નજીક ઓવરબ્રિજ પાસે આજે સવારે ડમ્પર અને બે કાર વચ્ચે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં રાજકોટ તરફ આવી રેહલા મહારાષ્ટ્ર પાસીંગના ટ્રકે અચાનક જ બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી બે કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ જ સમયે પાછળથી આવતા અન્ય ડમ્પર બન્ને કાર પાછળ ઘુસી જતા બન્ને કારના કચ્ચરઘાણ(Rajkot-Ahmedabad highway accident) નીકળી ગયો હતો. ત્યારે આ બને કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્‍યારે અન્ય એક યુવાનનું રાજકોટ હોસ્‍પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.

કાર પાછળ ડમ્પર ઘુસી જતા ઘટના સ્થળે જ યુવકોના મોત

૧૪ ડીસેમ્બરેની સવારે રાજકોટ તરફ રહેલા એમ એચ.૧૩ઇએફ.૬૦૪૫ નંબરના ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી હ્યુન્ડાઇ કંપનીની સફેદ કલરની એસેન્‍ટ કાર જીજે.03.બીએ.2032 તથા મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની બલેનો કાર જીજે.13.એઆર.7353 ધડાકાભેર ટ્રકમાં અથડાઈ ગઈ હતી. આ જ સમયે આ બંને કાર પાછળ ડમ્‍પર આવતું હોવાથી તે પણ કાર પાછળ અથડાતાં બને કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ગમખ્‍વાર અકસ્‍માતમાં ત્રણ લોકોના ઘટનાસ્‍થળે જ મોત થયા હતાં. જ્‍યારે એક યુવાનને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો જો કે ટૂંકી સારવાર દરમિયાન યુવકે પણ દમ તોડી દીધો હતો. આમ આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે.

ચોટીલા દર્શન કરી પરત આવતી વખતે નડ્યો અકસ્માત

મળતી માહિતી અનુસાર રાજકોટ હોસ્‍પિટલમાં મૃત્‍યુ પામનાર યુવકનું નામ હિરેનભાઇ વશરામભાઇ સગપરિયા હોવાનું જાણવા મળ્યું છે. મૃત યુવક રાજકોટ મનહરપ્‍લોટ-14માં રહેતાં હોવાનું સામે આવ્યું છે. તે બે ભાઈમાં મોટા હતાં અને તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે ઘર પાસે જ જય ખોડિયાર ઓટો ગેરેજ નામે ટુ-વ્‍હિલરનું ગેરેજ ધરાવતાં હતાં. આ સાથે જ જાણવા મળ્યું છે કે, આ ચાર મિત્ર બીજ નિમિતે ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. હિરેનભાઈ સગપરિયા તથા તેમના મિત્રો અટીકા વિરાણી અઘાટ પાસે નહેરૂનગરમાં રહેતાં ભરતભાઇ ખીમજીભાઇ સોલંકી, તેમનો પુત્ર પાર્થ ભરતભાઈ સોલંકી સહિતના ચાર લોકો કાર લઈને ચોટીલા બીજ નિમીતે દર્શન કરવા ગયા હતા.

ચોટીલા બીજ નિમીતે દર્શન કરીને પરત આવતી વખતે તેઓને આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં હિરેનભાઈનું રાજકોટ તથા પાર્થનું ઘટનાસ્‍થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક સુરેન્‍દ્રનગરના મૃતક હેમેન્‍દ્રસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે. ચોથા મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલેખનીય છે કે, ગઈકાલે પાટણમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં પતિ-પત્ની અને 2 બાળકોના મોત થયા હતા. રસ્તા પરથી કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં ખાબકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *