સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત; 3 લોકોના કમકમાટી ભર્યા મોત

Surendranagar Accident: રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત (Surendranagar Accident) સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જો કે આ ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદનો પ્રયાસ કર્યો હતો.

ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એવી માહિતી છે કે ટ્રકચાલકને પકડી લેવામાં આવ્યો છે અને તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે.

ટ્રક અને બાઈકની ટક્કરમાં 3ના મોત
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં બાઈકસવાર આ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા આ દરમિયાન ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર ટક્કર થઇ હતી.ત્યારે ઘટનાના પગલે ઘટનાસ્થળે જ ત્રણ લોકોના કરુણ મોત થયા છે. જો કે આ ઘટનાના પગલે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી.

પરિવારમાં આક્રંદ
આ ઘટનાની જાણ થતા જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને તથા 108ની ટીમને જાણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં ત્રણેય મૃતદેહોને પિએમ અર્થે મોક્લવવામાં આવ્યા હતા.જો કે પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે.આ અકસ્માતના પગલે મૃતકોના ઘરમાં ભારે આક્રંદ છવાયો છે.