ધ્રોલના નજીક કાર ખાડીમાં પલટી મારી જતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત

સમગ્ર રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલમાં જાયવા પાસે કાર…

સમગ્ર રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલમાં જાયવા પાસે કાર પલ્ટી જતાં એક જ પરિવારનાં કુલ 3 લોકોનાં મોત થયા છે.

જ્યારે કુલ 2 લોકોની હાલત ખુબ જ ગંભીર રહેલી છે. રાજકોટનો પટેલ પરિવાર સોયલ ગામમાં કોઈ કામની માટે જઈ રહ્યો હતો ત્યારે જાયવા ગામ પાસે કાર પલ્ટી મારી જતાં કારમાં સવાર કુલ 3 લોકોનાં મોત થયા છે જ્યારે કુલ 2 લોકોની હાલત ખુબ જ ગંભીર રહેલી છે.

ઘટનાની મળતી જાણકારી પ્રમાણે રાજકોટનો પટેલ પરિવાર સોયલ ગામ બાજુ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કોઈ પશુ વચ્ચે આવી જતાં ગાડી નં.GJ 03-KC-7666 કાર પલ્ટી મારી ગઈ હતી. જેને કારણે કારમાં સવાર કુલ 3 લોકોનાં તો ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

જ્યારે અન્ય કુલ 2 વ્યક્તિ ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી ગયો હતો. આ ઘટનાને લગતી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *