લોહિયાળ બન્યો ભાવનગર હાઇવે: વલ્લભીપુર નજીક ગંભીર અકસ્માતમાં 2ના મોત, અનેક ઇજાગ્રસ્ત

2 killed in Vallabhipur accident, Gujarat: ગુજરાત (Accident in Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માત (accident)ની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. ત્યારે…

2 killed in Vallabhipur accident, Gujarat: ગુજરાત (Accident in Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માત (accident)ની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માની ઘટના ભાવનગર હાઇવે પરથી પ્રકાશમાં આવી છે. શનિવારે સવારે ભાવનગર (Accident in Bhavnagar) ના વલ્લભીપુર (Accident in Vallabhipur) માંથી અકસ્માતનો આ બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતની ઘટનામાં બે લોકોના કરૂણ મોત નીપજ્યાં છે, જયારે 18 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં અઆવ્યા છે.

મળેલી માહિતી અનુસાર ભાવનગરના વલ્લભીપુરના પાટણા રોડ નજીક બોલેરો પીકઅપના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યું હતું અને તેથી બોલેરો કાર પલટી મારી ગઈ હતી. આ  અકસ્માતની દુર્ઘટનાને પગલે રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે તરતજ દોડી આવ્યા હતા. ત્યારબાદ રાહદારીઓ દ્વારા આ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસને ઘટનાની જાણ થતા તરતજ તેઓ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતની દુર્ઘટનામાં બોલેરામાં સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્ય છે, જયારે અન્ય 18 જેટલા લોકોને આ અકસ્માતની ઘટનામાં ઈજાઓ થઇ છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈજવામાં આવ્યા છે.

વાહનચાલક અને સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ લગાવામાં આવ્યો છે કે, રોડ બિસ્માર હોવાના કારણે આ અકસ્માતની દુર્ઘટના સર્જાય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, બોટાદના સુંદરિયાણા ગામે રહેતા પરિવારને આ અકસ્માત નડ્યો છે. આ સમગ્ર મામલે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *