અરવલ્લીમાં જગન્નાથપુરીથી દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો ગોઝારો અકસ્માત; 3ના મોત, 25 ઘાયલ

Aravalli Accident: ગુજરાત જાણે કે ગોઝારા અકસ્માતનું હબ બની ગયું હોય તેવી રીતે એક બાદ એક અકસ્માતોની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે ફરી એકવાર અરવલ્લી પાસેના કમળા ગામે ચકચારીત અકસ્માતની ઘટના બની. અરવલ્લીમાં(Aravalli Accident) જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે.

મોડાસાનાં સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.

આવો જ એક અકસ્માત વૈષ્ણો દેવી જઈ રહેલા ભક્તોને નડ્યો હતો
આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. આ સાથે લગભગ 15 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના શ્રદ્ધાળુઓથી ભરેલી આ યાત્રી પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી.