સોનું સૂદની ઓફીસ પર ત્રાટકેલી IT ટીમે લગાવ્યો કરોડો રૂપિયાનો ટેક્સ ચોરીનો આરોપ- થોડા સમય પહેલા જ કેજરીવાલને મળ્યા હતા

અભિનેતા સોનુ સૂદ(Actor Sonu Sood) પર આવકવેરા વિભાગ(Income Tax Department)ના દરોડા બાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કહ્યું છે કે તેમની સામે 20…

અભિનેતા સોનુ સૂદ(Actor Sonu Sood) પર આવકવેરા વિભાગ(Income Tax Department)ના દરોડા બાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કહ્યું છે કે તેમની સામે 20 કરોડ રૂપિયાથી વધુની કરચોરીનો કેસ પ્રકાશમાં આવ્યો છે. CBDT એ કહ્યું છે કે અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરમાં સર્ચ દરમિયાન કરચોરી સાથે જોડાયેલા ગુનાહિત પુરાવા મળ્યા છે. સીબીડીટીએ કહ્યું કે અભિનેતાએ બોગસ સંસ્થાઓ પાસેથી બોગસ અને અસુરક્ષિત લોનના રૂપમાં બિનહિસાબી નાણાં(Unaccounted money) જમા કરાવ્યા હતા.

આવકવેરા વિભાગે જણાવ્યું કે સૂદ એફસીઆરએ કાયદાના ઉલ્લંઘનમાં ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિદેશી દાતાઓ પાસેથી 2.1 કરોડ એકત્ર કર્યા છે. CBDT એ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગે મુંબઈમાં અભિનેતાના વિવિધ પરિસરમાં અને માળખાકીય વિકાસમાં રોકાયેલા લખનૌ સ્થિત ઓદ્યોગિક ક્લસ્ટરમાં દરોડા અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. સીબીડીટી અનુસાર, મુંબઈ, લખનઊ, કાનપુર, જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિત કુલ 28 પરિસરમાં સતત ત્રણ દિવસ દરોડા પાડવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ટીમને તપાસ દરમિયાન લગભગ 20 કરોડની કરચોરીની જાણકારી મળી છે. તપાસ દરમિયાન આવકવેરા વિભાગની ટીમે 1 કરોડ 8 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે, જ્યારે 11 લોકરો પણ મળી આવ્યા છે.

સૂત્રોએ દાવો કર્યો છે કે, આવકવેરા વિભાગને આ દરોડામાં મોટી કરચોરીના મજબૂત પુરાવા મળ્યા છે. ટેક્સ મેનિપ્યુલેશન સોનુ સૂદના પર્સનલ ફાઇનાન્સ સાથે સંબંધિત છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ફિલ્મોમાંથી મળતી ફીમાં પણ મોટી કર ભૂલ જોવા મળી છે. આ અનિયમિતતાઓ બાદ હવે આવકવેરા વિભાગ સોનુ સૂદના ચેરિટી ફાઉન્ડેશનના ખાતાઓની પણ તપાસ કરી રહ્યો છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, અભિનેતાએ તેની બિનહિસાબી આવક નકલી કંપનીઓ દ્વારા ફગાવી દીધી છે. અત્યાર સુધીની તપાસમાં ટીમને 20 નકલી એન્ટ્રીઓ મળી છે.

અમે તમને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા અભિનેતા સોનું સૂદને પદ્મ શ્રી એવોર્ડ આપવાની ઓફર કરી હતી પરંતુ સોનું સૂદે આ ઓફરને ઠુકરાવી દીધી હતી. આ પ્રકારની માહિતી સોનું સુદના નીકટના સાથીએ આપી હતી. તમને જણાવી દઈએ કે 48 વર્ષીય અભિનેતા સોનુ સૂદે કોરોના મહામારી દરમિયાન લોકોની મદદ કરીને ઘણી પ્રશંસા મેળવી હતી. તાજેતરમાં સોનુ સૂદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. આ સાથે, તેઓ દિલ્હી સરકારના દેશના માર્ગદર્શક કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા.

દરોડા પછી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ આ બાબતે ટ્વિટ કર્યું હતું કે સત્યના માર્ગ પર લાખો મુશ્કેલીઓ છે, પરંતુ વિજય હંમેશા સત્યનો જ થાય છે. સોનુ સૂદ સાથે ભારતના તે લાખો પરિવારોના આશીર્વાદ છે જેણે આ મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *