શૈલેશ લોઢા બાદ આ દિગ્ગજ અભિનેતાએ તારક મહેતા શોને કહી દીધું અલવિદા- જાણીને લાગશે આંચકો

વર્ષ 2008માં પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta Ka Ulta Chashma)’ શરૂ થયો હતો. ત્યારથી લઈને આજ સુધી આ કોમેડી શો(comedy show)…

વર્ષ 2008માં પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta Ka Ulta Chashma)’ શરૂ થયો હતો. ત્યારથી લઈને આજ સુધી આ કોમેડી શો(comedy show) દર્શકોને ખૂબ જ મનોરંજન કરાવી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સ્ટાર્સે શો છોડીને જઈ રહ્યા છે. તે જ સમયે, હવે આ લિસ્ટમાં વધુ એક અભિનેતાનું નામ જોડાઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ‘ટપ્પુ’નું પાત્ર ભજવનાર અભિનેતા રાજ અનડકટે(Raj Anadkat) શો છોડવાનો નિર્ણય લીધો છે. આ સમાચાર તેના ચાહકો માટે ચોંકાવનારા છે.

ટપ્પુ શોમાં જોવા નહીં મળે:
હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનાઓથી સમાચાર આવી રહ્યા હતા કે રાજ અનડકટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડવા જઈ રહ્યો છે. જોકે, દરેક વખતે રાજે આ અહેવાલોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધા હતા. પરંતુ આ વખતે રાજ અનડકટે પોતે સોશિયલ મીડિયા પર શો છોડવાની જાહેરાત કરી છે. તાજેતરમાં, અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે- ‘તમામ પ્રશ્નો પર પૂર્ણવિરામ મૂકવાનો સમય આવી ગયો છે. સત્તાવાર રીતે હવે મારો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેનો કરાર સમાપ્ત થઈ રહ્યો છે.

રાજે ઈમોશનલ નોટ લખી?:
રાજ અનડકટે લોકપ્રિય કોમેડી શો વિશે લખ્યું- ‘મેં સારા મિત્રો બનાવ્યા અને ઘણું શીખ્યું. આ પ્રવાસમાં મારી સાથે રહેલા તમામનો હું આભાર માનું છું. મારી કારકિર્દીના આ શ્રેષ્ઠ વર્ષો હતા. મને ટપ્પુ તરીકે સ્વીકારવા બદલ આપ સૌનો આભાર. સમગ્ર ટીમને ભવિષ્ય માટે શુભકામનાઓ.

અમે તમને જણાવી દઈએ કે રાજ અનડકટ વર્ષ 2017માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ બન્યો હતો. તેમના પહેલા ભવ્ય ગાંધીએ આ શોમાં ‘ટપ્પુ’નું પાત્ર ભજવ્યું હતું. લોકોએ ટપ્પુના રૂપમાં બંને કલાકારોને ખૂબ પ્રેમ આપ્યો. વેલ, એ ચોક્કસ છે કે ચાહકો આ પાત્રને ચોક્કસપણે મિસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *