રુવાડા બેઠા કરી દેતી ગુજરાતની ઘટના – બંને દીકરીઓની હત્યા કરી પિતાએ પણ ટુંકાવ્યો જીવ

ગુજરાત (Gujarat)ના બનાસકાંઠા (Banaskantha) માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ…

ગુજરાત (Gujarat)ના બનાસકાંઠા (Banaskantha) માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને આજકાલ લોકો નાની નાની બાબતોમાં ઉશ્કેરાઈને આપઘાત જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના અમુક વિસ્તારમાં આજે આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.

ફરી એકવાર આવી જ એક ઘટના ઠરાડ તાલુકાના શેરાઉ ગામમાં બની છે. એક વ્યક્તિએ તેની બે સગીર દીકરીઓને કૂવામાં ફેંકીને કથિત રીતે હત્યા કરી નાખી હતી. આ પછી તેણે તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના મંગળવારે સાંજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના શેરાઉ ગામમાં બની હતી. અને તેની પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

જાણો શું છે મામલો:
મળતી માહિતી અનુસાર, થરાડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિક્રમ દરજી નામના વ્યક્તિએ આપઘાત કરતા પહેલા તેની ત્રણ અને પાંચ વર્ષની બે પુત્રીઓ સાથે તેના મોબાઇલ ફોન પર સેલ્ફી ક્લિક કરી હતી અને તેને વોટ્સએપ ગ્રુપ પર શેર કરી હતી. અને ત્યારબાદ બંને દીકરીઓને કુવામાં ફેકી પોતે પણ આપઘાત કરી લીધો હતો. આવું કરતા તેના પિતાના ચહેરા પર થોડો પણ ડર કે શરમ નહોતી.

દીકરીઓને ઝેર આપી કૂવામાં ફેંકી દીધી…
ફોટામાં એક બોટલ પણ દેખાતી હતી. પોલીસને શંકા છે કે વિક્રમે તેની પુત્રીઓને ઝેર આપીને કૂવામાં ફેંકી દીધી ત્યારબાદ પોતે પણ ઝેરી દવા પીધી હતી. અધિકારીએ જણાવ્યું કે જ્યારે વિક્રમે આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે તેની પત્ની ઘરે હતી. તેમણે કહ્યું કે, મંગળવારે રાત્રે ગ્રામજનોએ ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *