માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: રાજકોટમાં 10 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઇ ટુંકાવ્યું જીવન

રાજકોટ(Rajkot): રાજ્યમાં આવર-નવાર આપઘાત(Suicide)ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર રાજકોટ શહેરમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં માત્ર 10 વર્ષની બાળકીએ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ માતા-પિતાને ચિંતામાં મૂક્યા છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ ન્યુ જાગનાથ પ્લોટમાં વસવાટ કરતા કરણભાઈ સોનીની 10 વર્ષની દીકરી કરિશ્માએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કરિશ્માએ ગઈકાલે બપોરના સુમારે બાથરૂમમાં એન્ગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

બાથરૂમમાં વધુ સમય લાગતા માતા દરવાજો ખખડવા માટે ગયા હતા. ત્યારે અંદરથી કઈ જવાબ ન મળતા દરવાજો તોડીને અંદર જોતા તે બાથરૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. જેના બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આપઘાત અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળકીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પરંતુ સવાલ એ થાય આટલી નાની ઉંમરમાં બાળકોને કેમ આપઘાત કરવાનો વિચાર આવે છે. એવું તો શું બદલાઈ રહ્યું છે હવે બાળકોમાં આપઘાતનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. શા માટે માસૂમ બાળકો મરવા માટે મજબૂર બને છે.

અત્રે ઉલેખનીય છે કે, ગત વર્ષે સાબરકાંઠાના હિંમતનગરમાં માત્ર 9 વર્ષની બાળકી અગમ્ય કારણોસર ઘરમાં જ ગળેફાંસો ખાઈને મોત વાહલું કર્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતું કે, આ પરિવાર તેની બાળકીને દરરોજ મારતો હતો. પરિવારમાં પતિ પત્નીના રોજ ઝઘડા થતા હતા. પરિવારમાં એક નવ વર્ષની બાળકી અને બે બાળક છે. જેમાં એક દિવ્યાંગ બાળક છે. જેથી કંટાળીને બાળકીએ આત્મહત્યા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *