આકાંક્ષા દુબે આપઘાત કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, રૂમમાંથી મળી એવી વસ્તુ કે…, પોલીસ પણ પણ ગોટે ચડી

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે(Akanksha Dubey)ના આપઘાત કેસમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. ફોરેન્સિક તપાસ બાદ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મોતના કારણ અંગે મોટો ખુલાસો થયો છે.…

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે(Akanksha Dubey)ના આપઘાત કેસમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. ફોરેન્સિક તપાસ બાદ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મોતના કારણ અંગે મોટો ખુલાસો થયો છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સીલ રાખવામાં આવ્યો છે.

આકાંક્ષા દુબેનો વિસેરા રીપોર્ટ
આ મામલામાં એડિશનલ સીપી સંતોષ સિંહનું કહેવું છે કે, આકાંક્ષા દુબેના મૃત્યુ કેસને લઈને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ નજરે આકાંક્ષાનું મોત ફાંસીથી થયું હતું. તે જ સમયે, આકાંક્ષા દુબેના વિસેરા રીપોર્ટ ને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

આકાંક્ષા દુબેના મોત બાદ ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી છે. આ તપાસ મુજબ રૂમની ઊંચાઈ, શરીરની ઊંચાઈના માપ પ્રમાણે ગળાના નિશાન અને શરીરના દબાણના કારણે આકાંક્ષાનું મૃત્યુ થયું હતું, જે આત્મહત્યા છે.

રૂમમાંથી ખુલ્લી દારૂની બોટલો મળી આવી
આકાંક્ષાના મૃત્યુ બાદ પોલીસને તેના રૂમમાંથી ખુલ્લી દારૂની બોટલો પણ મળી આવી હતી. આ સિવાય બેડ પર ફાંસીથી લટકતી લાશ પડી હતી. જેના કારણે મોતનું કારણ હત્યા છે કે આત્મહત્યા તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. તે જ સમયે, આ મામલામાં આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ ગાયક સમર સિંહ અને તેના ભાઈ પર તેની પુત્રીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.

સમરસિંહ(Samar Singh)ના ભાઈએ આપી હતી ધમકી 
મધુ દુબેના કહેવા પ્રમાણે, સમર સિંહના ભાઈ સંજય સિંહે 21 માર્ચે આકાંક્ષાને મારી નાખવાની ધમકી આપી હતી. ચાર દિવસ બાદ આકાંક્ષાનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. આ ઘટનાના થોડા કલાકો પહેલા આકાંક્ષા પણ મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. જે બાદ તે રાત્રે લગભગ 2 વાગે એક યુવક સાથે હોટલ પરત ફર્યો હતો અને તે પછી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવતા તે રડતી પણ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *