શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા ગુગલમાંથી એક મહિનાની રજા લઈ અમેરિકાથી અમદાવાદ આવી ગયો યુવક

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દેશ અને વિદેશથી સ્વયંસેવકો સેવા કરવા માટે આવી ચુક્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક યુએસથી ગૂગલના યુવા કર્મી અક્ષર મોદી સ્વયંસેવક તરીકે જોડાયા છે. મહત્વનું છે કે, અક્ષર મોદી(Akshar Modi) ગૂગલની ઓફિસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે અને અક્ષર મોદી 1 મહિનાની રજા લઈને સેવા આપવા માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે, ગુગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો એક ભક્ત આ માહોલમાં અન્ય સ્વયંસેવકની જેમ જ સામેલ થઇ ગયા છે. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશમાંથી ભક્તો સેવા આપવા માટે આવ્યા છે. પ્રમુખસ્વામી નગરમાં 80 હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. ત્યારે ગુગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો અક્ષર મોદી ગુગલ ઓફીસમાંથી એક મહિનાની રજા લઈને અમેરિકાથી સેવા આપવા આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ નગર પહોંચ્યા બાદ જણાવતા કહ્યું હતું કે, આ ઉત્સવમાં સેવા આપવા માટે તેમણે ઓફીસથી 2 વર્ષથી રજા લીધી નથી. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વમાં તે અન્ય સ્વયં સેવકની જેમ કામ કરી રહ્યા છે.

જો વાત કરવામાં આવે તો વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

અમે તમને જણાવી દઈએ કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *