પહેલા ‘રાણો’ અને હવે તેના મિત્રને આવ્યો રેલો, સામેથી દોડી આવ્યા પોલીસ પાસે- દેવાયતને લાગ્યો વધુ એક ઝટકો

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) મારામારીના કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad)ને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા દેવાયત ખવડના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતો. દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા સોમવારના રોજ 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ, કાનો રબારી અને કિશન કુંભારવાડિયાને કોર્ટમાં રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવ્યા હતાં.

દેવાયત ખવડ બાદ તેમના સાથીઓ પણ પોલીસ સામે થયા હાજર:
અમે તમને જણાવી દઈએ કે, લોકસાહિત્યકાર દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને હવે ગઈકાલે તેમના સાથીઓ પણ પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેમાં હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે. દેવાયત ખવડ બાદ અન્ય બે આરોપીઓ પણ સામે ચાલીને પોલીસ સામે હાજર થયા. દેવાયત ખવડની માફક અન્ય આરોપીઓને પણ પોલીસ પકડી શકી નહોતી. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા.

તો બીજી બાજુ લોકસાહિત્યકાર દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસનિશ અધિકારી એ ડિવિઝનના પીઆઈ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. દેવાયત સામે અગાઉ ગુનો દાખલ થયો છે તેનો ઉલ્લેખ પીઆઈ દ્વારા કરવામાં આવ્યો હતો. દેવાયત ખવડે હજુ સુધી ક્યા આશ્રય લીધો તે ન બોલતા હોઈ તેની રજુઆત કરવામાં આવી હતી. દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેએ દલીલો કરી હતી. રિમાન્ડની માગણી સામે વાંધો રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું હતું કે, આગોતરા અરજી મૂકી હતી એને નાસ્તા ફરતા કઈ રીતે કહી શકાય. દેવાયતના વકીલ દ્વારા આખી FIR વાંચી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

બચાવપક્ષના વકીલનું નામ ઉત્કર્ષ દવે છે. તેમના કરેલા દાવા મુજબ ક્યાંક ને ક્યાંક આ આપસી દુશ્મનીનો મામલો છે. પોલીસે 307 હેઠળ જે FIR કરી, તે સંપૂર્ણપણે ખોટી છે. આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે, CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે વ્યક્તિ ડંડા અથવા લોખંડના પાઇપ વડે મયુરસિંહ રાણા પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે, ફક્ત પગ પર સાતથી આઠ વખત માર્યું છે અને કોઇ ગંભીર ઇજા પણ થઇ નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *