‘બોલો જુબા કેસરી’ અક્ષય કુમારને મોંઘી પડી ગઈ, બરાબરનો રેલો આવતા…

બોલિવૂડ(Bollywood) એક્ટર અક્ષય કુમાર(Akshay Kumar) ભૂતકાળમાં એક જાહેરાત (Advertising)ને કારણે ટ્રોલ થયો હતો. અજય દેવગણ(Ajay Devgn) અને શાહરૂખ ખાન(Shah Rukh Khan) સાથે પાન મસાલાની જાહેરાત(Advertising…

બોલિવૂડ(Bollywood) એક્ટર અક્ષય કુમાર(Akshay Kumar) ભૂતકાળમાં એક જાહેરાત (Advertising)ને કારણે ટ્રોલ થયો હતો. અજય દેવગણ(Ajay Devgn) અને શાહરૂખ ખાન(Shah Rukh Khan) સાથે પાન મસાલાની જાહેરાત(Advertising of Pan Masala) કરવાને કારણે અક્ષય કુમાર લોકોના નિશાના પર આવ્યો હતો. અભિનેતાના ચાહકોએ પણ તેમની નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારબાદ અભિનેતાએ હવે તમાકુ બ્રાન્ડની જાહેરાત કરવા બદલ માફી માંગી છે. ટીકાકારોના નિશાના પર આવ્યા બાદ અક્ષય કુમારે સોશિયલ મીડિયા(Social media) પર માફી માંગી છે.

અક્ષય કુમાર ઘણીવાર એવું કહેતો જોવા મળ્યો છે કે તે કોઈ પણ પ્રકારનો નશો નથી લેતો. તે દારૂ નથી પીતો, ન સિગારેટ કે ન તો અન્ય કોઈ નશો. અક્ષય અવારનવાર ફેન્સને સ્વસ્થ જીવન જીવવાની સલાહ આપે છે. આવી સ્થિતિમાં પોતાના ચાહકોની માફી માંગીને તેણે પાન મસાલાની જાહેરાત પરથી હાથ પાછા ખેંચી લીધા છે. પોતાની પોસ્ટમાં તેણે કહ્યું કે તે હવે આ જાહેરાતનો બ્રાન્ડ એમ્બેસેડર નથી.

અક્ષય કુમારે માફી માંગી:
પોતાની પોસ્ટમાં અક્ષય કુમારે લખ્યું- ‘મને માફ કરજો. હું મારા બધા શુભચિંતકો અને ચાહકોની માફી માંગવા માંગુ છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રતિભાવોએ મને ખૂબ પ્રભાવિત કર્યો છે. જો કે, મેં ક્યારેય તમાકુનો પ્રચાર કર્યો નથી અને કરીશ પણ નહીં. વિમલ ઈલાઈચી સાથે તમારા જોડાણ અંગે તમારી પ્રતિક્રિયાઓ ગમે તે હોય, હું તમારી ભાવનાઓને માન આપું છું. તેથી જ હું તેમને સંપૂર્ણ નમ્રતાથી માન આપું છું.

અક્ષય કુમારે આગળ લખ્યું- ‘મેં નક્કી કર્યું છે કે જાહેરાતમાંથી મળેલી ફીનો ઉપયોગ હું સારા હેતુ માટે કરીશ. કદાચ, કાનૂની કારણોસર બ્રાન્ડ તેને થોડા સમય માટે પ્રસારિત કરશે. જ્યાં સુધી કોન્ટ્રાક્ટની કાનૂની અવધિ પૂરી ન થાય ત્યાં સુધી એડ ઓન એર થઈ શકે છે. પરંતુ, હું વચન આપું છું કે ભવિષ્યમાં હું મારા નિર્ણય પ્રત્યે સાવચેત રહીશ. બદલામાં, હું હંમેશા તમારા પ્રેમ અને આશીર્વાદ માંગીશ.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા અક્ષય કુમારની એક એડ રિલીઝ થઈ હતી. જેમાં તે અજય દેવગન અને શાહરૂખ ખાન સાથે પાન મસાલાની એડમાં જોવા મળ્યો હતો. જે બાદ અભિનેતાના ચાહકોએ તેના વિશે નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર યુઝર્સના ટાર્ગેટમાં આવ્યા બાદ અને ફેન્સની નિરાશા જોઈને હવે એક્ટરે આ એડમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *