સુરતમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ ખરાબ- સ્મશાનગૃહો ઉભરાયા, જુઓ લાશના ઢગલા

સમગ્ર રાજ્યની સાથે-સાથે જ સુરતમાં કોરોના ખુબ ઝડપથી પ્રસરી રહ્યો છે. કોવિડ-નોનકોવિડથી દરરોજ અંદાજે 240 લોકોનાં મોત થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને…

સમગ્ર રાજ્યની સાથે-સાથે જ સુરતમાં કોરોના ખુબ ઝડપથી પ્રસરી રહ્યો છે. કોવિડ-નોનકોવિડથી દરરોજ અંદાજે 240 લોકોનાં મોત થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાનમાં લઇ જવા પડ્યા છે. સૌપ્રથમ દિવસે 6 લાશોની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી.

હાલમાં ઉમરા સ્મશાન ગૃહનો એક વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આજે ઉમરા સ્મશાન ગૃહમાં લાશોનો ઢગ જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં 40 કરતાં વધુ મૃતદેહો ઉમરા સ્મશાન ગૃહમાં પહોંચતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. મૃતદેહના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જે બતાવે છે કે શહેરમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે.

સામાન્ય દિવસો કરતા 5 ગણા વધુ મૃતદેહો:
વહીવટીતંત્ર સવારથી લઈને સાંજના કોરોના સંક્રમિત લોકોના તેમજ દિવસ દરમિયાન થયેલા કોરોના સંક્રમણને લીધે મોતના આંકડા ખૂબ ઓછા દર્શાવીને તમામ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં હોય તેવું લાગે છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આંકડાનો ખેલ રમી રહી છે.

સામાન્ય દિવસમાં જે સ્મશાનગૃહમાં લાશ પહોંચતા એના કરતાં 5 ગણા વધુ મૃતદેહો એકાએક કેવી રીતે પહોંચી રહ્યા છે. તે પણ એક ખુબ મોટો વિષય છે. જો વહીવટીતંત્ર સાચા આંકડા આપણી સમક્ષ મુકે તો સ્મશાનગૃહમાં આવાં પ્રકારે મૃતદેહ ઢગલા કેમ દેખાઈ રહ્યા છે તેની સ્પષ્ટતા કરવી ખુબ અનિવાર્ય છે.

સુરતના અશ્વિનીકુમાર અને ઉમરા સ્મશાનગૃહમાં ખૂબ ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલાં મૃતદેહ લઈને જતી શબવાહિનીઓની લાઈનો જોવા મળતી હતી પરંતુ હવે મૃત્યુની સંખ્યા એટલી હદે વધી છે કે શબવાહિનીઓ મૃતદેહ સ્મશાનગૃહમાં છોડીને બીજો મૃતદેહ લેવા માટે પરત ફરી રહી છે અને તેના કારણે સતત લાશોનો ઢગ સ્મશાનગૃહમાં જોવા મળે છે.

અગ્નિદાહ આપવાનું વેઇટિંગ 10 કલાક:
સુરતની પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, સ્મશાનગૃહમાં ડેડબોડીના અગ્નિસંસ્કાર માટે નંબર પ્રમાણે ટોકન આપવામાં આવે છે. ટોકન મુજબ જેનો નંબર આવે તેનું નામ જાહેર કરી દેવામાં આવે છે તેમજ પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટિંગ યાદી અત્યાર સુધીમાં 2-4 કલાકનું હતું જયારે છેલ્લા 2 દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો નોંધાયો છે. આ વેઈટિંગ હવે 8-10 કલાકે પહોંચી ગયું છે.

ઘરે સારવાર લેનારા દર્દીઓનાં વધારે મોત:
આટલું જ નહીં પણ સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે, સમગ્ર શહેરની હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ ગયાં છે કે, જેથી કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ શકતા નથી તથા ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે કે, જેથી મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે.

આની સાથે જ અમુક લોકો સામાન્ય તાવ, શરદી અથવા તો ખાંસીનાં લક્ષણો હોવાં છતાં ભયને કારણે ટેસ્ટિંગ કરાવતા નથી તેમજ ઘરમાં જ સારવાર લઈ રહ્યાં છે. ઘરે સારવાર લેનાર આવા દર્દીઓનાં મોતમાં પણ વધારો નોંધાયો છે કે, જેમના અગ્નિસંસ્કાર કોવિડ પ્રોટોકોલ મુજબ થતા નથી. આવા દર્દીઓના નોન-કોવિડ ગણાતા હોવાને લીધે તેમની સાથે પણ સ્વજનો આવે છે.

બુધવારે 6 મૃતકના અંતિમસંસ્કાર બારડોલીમાં કર્યા:
જેને લીધે સાથેના લોકોમાં પણ ચેપ ફેલાવાનું પ્રમાણ ભયંકર રીતે સતત વધતું જઈ રહ્યું છે. સ્મશાનમાં કામ કરતા લોકોનું જણાવવું છે કે, નોન-કોવિડમાં અમે કેટલીક ઘટનામાં બીમારીનું કારણ પૂછીએ ત્યારે સ્વજનો જણાવે છે કે, એક દિવસ તાવ આવ્યો બાદમાં મૃત્યુ થઈ જાય છે.

બુધવારે સુરતથી એકસાથે 6 મૃતદેહ બારડોલી સ્મશાનમાં લઇ જવામાં આવ્યા હતા. આની સાથે જ મૃતકના સગા સુમિત ગામી જણાવે છે કે, મારા કાકાનું સિવિલમાં મોત નીપજ્યું હતું. સુરત સ્મશાનમાં 10-12 કલાક રાહ જોવી પડી હતી. છેવટે, બારડોલી લઇ જઇને અંતિમવિધિ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *