સુરતમાં 17 વર્ષની દીકરીને 2 વર્ષ સુધી પીંખતો રહ્યો બાપ- જાણો જઘન્ય ઘટના કેમ બહાર આવી

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી છે.

આજે પિતા અને પુત્રી વચ્ચેના પવિત્ર સબંધ નો દિવસ છે એટલે કે, ફાધર્સ ડે. ત્યારે ફાધર્સ ડે ના એક દિવસ પહેલા જ સુરતના ઓલપાડ માંથી બાપ અને દીકરી સાથેના પવિત્ર સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોધાયેલી હવસથી ભૂખ્યા બાપે 17 વર્ષીય સાવકી દીકરી પર વારંવાર બળાત્કાર કર્યો હોવાની વાત સામે આવી છે.

એકલતાનો લાભ ઉઠાવીને સાવકા બાપે ગુજાર્યો બળાત્કાર

સુરતના ઓલપાડ તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના પતિનું આઠ વર્ષ પહેલા અવસાન થયું હતું. જે બાદ ઘરકામ અને મજુરી કરી તે ત્રણ માસુમ દીકરા-દીકરીનો ઉછેર એકલા હાથે કરતી હતી. પરંતુ જવાબદારી વધી જતા પાંચ વર્ષ પહેલા મૂળ કચ્છ જિલ્લાના નાગલપૂરનો વતની ભરત મુળજી સાથે આ મહિલાના બીજા લગ્ન થયા હતા. આજથી બે વર્ષ પહેલા ધો.10માં અભ્યાસ કરતી મહિલાની સૌથી મોટી દીકરી નિર્ભયા (નામ બદલ્યું છે) એક દિવસ ઘરે એકલી હતી. આ સમયે એકલતાનો લાભ ઉઠાવી સાવકો બાપ ભરત મુળજીએ 15 વર્ષની દીકરી ઉપર પહેલી વખત બળાત્કાર ગુજારેલ હતો. ત્યારે ગભરાયેલી તરૂણીએ આ અંગે કોઇને જણાવ્યું ન હતું. ત્યાર બાદ સાવકી દીકરીનો ભોળપણ નો લાભ ઉઠાવી છેલ્લા બે વર્ષથી તેની મરજી ન હોવા છતાં વારંવાર બળાત્કાર ગુજારતો રહ્યો હતો.

તરૂણીનો હાથ પકડી વાડામાં લઇ ગયો અને ત્યાં અડપલા કરી ફરી બળાત્કાર ગુજાર્યો

થોડા સમય પહેલા સમગ્ર દેશમાં લોકડાઉન ને લઈને સ્કુલોમાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી ઓનલાઈન શિક્ષણ કાર્ય કરાવવામાં આવતું હોઈ 10 દિવસ પહેલા રાત્રીના નિર્ભયા અને તેના ભાઈ બહેન તથા માં અને સાવકો બાપ ઘરે સુતેલા હતો. નિર્ભયા સ્કુલમાંથી મોબાઈલ પર આવેલા એકાઉન્ટના દાખલા લખતી હતી. ત્યારે સાવકા બાપ ભરત મુળજી મોટા એ નિર્ભયાનો હાથ પકડી જબરજસ્તી વાડામાં લઇ ગયો હતો. અને અડપલા કરી ફરી બળાત્કાર ગુજારેલ.

આમ છેલ્લા બે વર્ષથી સાવકી દીકરીની અજ્ઞાનતા અને ભોળપણ નો લાભ ઉઠાવી તેની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારતો આવેલો હતો. પિતા તેને ભવિષ્યમાં પણ હેરાન પરેશાન કરશે તેવું માની નિર્ભયા એ તેની સાથે થયેલા બળાત્કારની ઘટના બાબતે ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ ને જાણ કરી હતી. પોલીસની મદદ મેળવતા ઓલપાડ પોલીસે ભોગ બનેલી તરૂણની માતાની ફરિયાદને આધારે વાસના ભૂખા હેવાન સાવકો બાપ ભરત મુળજી મોટા વિરુદ્ધ ગુનો નોધી તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *