ગુજરાતમાં ભૂકંપની સાચી ભવિષ્યવાણી કરનાર આ મોટા જ્યોતિષશાસ્ત્રીએ કોરોના અને વરસાદ અંગે કરી મોટી ભવિષ્યવાણી

હાલ સમગ્ર જગતમાં કોરોના વાયરસ તેની કહેર મચાવી રહ્યો છે. તેના કારણે સમગ્ર વિશ્વ ઘરમાં કેદ થઇ ગયું છે. આખી દુનિયા એક જ સવાલ પૂછી રહી છે કે આખરે આ કોરોના ક્યારે આપડી વચ્ચેથી જશે અને આપણે પહેલા જેવી જિંદગી જીવી શકીશું. આજે વિશ્વના દરેક ડોકટરો કોરોનાને અટકાવવા માટેની દવા શોધી રહ્યા છે પણ કોઈ ને પણ સફળતા મળી નથી. હવે ફક્ત વિશ્વ ભગવાનને પ્રાથના કરી રહ્યું છે. ત્યારે આવા સમયે ગુજરાતના અને ખાસ અમેરલીના એક દિગ્ગજ જ્યોતિષશાસ્ત્રીએ કોરોના અંગે મોટી ભવિષ્યવાણી કરી છે.

થોડા વર્ષ પહેલા ગુજરાતના કચ્છ જીલ્લામાં આવેલાં ભૂકંપની આગાહી કરનાર અમરેલીના લીલીયાના પ્રખર જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકે કોરોના અને વરસાદને લઈને આગાહી કરી છે. આગામી સમયમાં કોરોનાની કેવી અસર અને પરિસ્થતિ હશે અને ક્યારે કોરોનાથી વિશ્વને રાહત મળશે તે બાબતે જ્યોતિષશાસ્ત્રીએ ગ્રહોની યુતિના આધારે ભવિષ્યવાણી કહી છે.

જ્યોતિષાચાર્યે જણાવતા કહ્યું કે, ગુરૂ અને શનિ સાથે હોય ત્યારે પ્રજાનો નાશ થાય છે. ગુરૂ શનિ સાથે હોવાથી ભારતમાં મહામારી આવી છે. 29 જૂન પછી ભારતમાં રાહત થશે તેવું જયપ્રકાશ પાઠક જણાવ્યું છે. સાથે જ કહ્યું છે કે, 20 તારીખ પછી હળવું થશે. અને સપ્ટેમ્બર પછી વિશ્વને રાહત મળી જશે. તો વરસાદને લઈને જ્યોતિષાચાર્યે કહ્યું કે, અષાઢ અને શ્રાવણમાં સારો વરસાદ રહેશે. 11 મે આસપાસ ભારે વરસાદની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *