શું તમને પણ વાત વાતમાં આવે છે ગુસ્સો, આ સરળ ઉપાયથી થશે ફાયદો

જ્યોતિષશાસ્ત્ર મુજબ, જયારે ગ્રહો ની સ્થિતિ અનુકૂળ ન હોય તો પછી વ્યક્તિના જીવનમાં મુશ્કેલી વધવા લાગે છે. દરેક ગ્રહની પોતાની અલગ અલગ અસર હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળ હિમંત અને શક્તિ નું પ્રતીક માનવામાં આવે છે.જો કોઈની કુંડળીમાં મંગળ ની સ્થિતિ યોગ્ય નથી,તો તે વ્યક્તિના જીવનમાં ઘણી વ્યક્તિગત અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મંગળના કારણે આવા રોગો ઘેરી લે છે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈનો મંગળ ખરાબ હોય તો રક્ત સંબંધિત સમસ્યાઓ થાય છે. તેમને બ્લડ પ્રેશર ફંગસ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સિવાય વ્યક્તિને કિડનીના રોગ, પથરી, સંધિવા અને આંખોને લગતી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

મંગળની ખરાબ સ્થિતિની અસર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો આવા વ્યક્તિનો મંગળ નબળો હોય તો આવા લોકો ખૂબ ગુસ્સે થાય છે. તેમને વાત વાતમાં બીજા પર ગુસ્સો આવે છે અનેક વખત આ લોકોએ તેમના ક્રોધને કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. મંગળની ખામીને લીધે જ્યોતિષશાસ્ત્ર અનુસાર,વધુ ગુસ્સો આવે છે કારણે આ અશુભ પરિણામે આપે છે.

મંગળને સુધારવાના ઉપાય
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ અશુભ પ્રભાવ આપી રહ્યો છે તો તેને હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણના પાઠ કરતા રહેવું જોઈએ. તમારે તમારા વર્તનને સારું રાખવું જોઈએ તેમજ ગુસ્સે થવાનું ટાળવું જોઈએ. મંગળવારે ઘઉં, તાંબુ, લાલ કાપડ, લાલ ફળો અને ગોળ વગેરે વસ્તુઓનું દાન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *