આ મંદિરમાં દેવી માતાને વ્રત પૂર્ણ થયા બાદ ચડાવવામાં આવે છે નવા ચંપલ અને સેન્ડલ, જાણો તેની પાછળનું રહસ્ય 

સમગ્ર વિશ્વમાં એવા ઘણા મંદિરો હોય છે જેની એક અનોખી પરંપરા હોય છે જે દરેકને આશ્ચર્યમાં મુક્તિ હોય છે. આજે અમે તમને આવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં વ્રત પૂર્ણ થયા બાદ માતા દેવીને સેન્ડલ અને ચંપલ અર્પણ કરવામાં આવે છે.

સામાન્ય રીતે મંદિરોમાં સેન્ડલ અને ચંપલ પહેરવાની મનાઈ હોય છે. તેથી આપણે બધા મંદિરની બહાર ચપ્પલ કાઢીને જ જઈએ છીએ. પરંતુ, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં વ્રત પૂર્ણ થતાં માતા દેવીને નવા સેન્ડલ અને ચંપલ ચઢાવવામાં આવે છે.

આ સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. જોકે, આ એકદમ સ્તય છે. તમને જણાવી દઈએ કે, આ મંદિર માતા દુર્ગાનું છે. જે ભોપાલના કોલાર વિસ્તારમાં ડુંગર પર બાંધવામાં આવ્યું છે. જેને સિદ્ધિદાત્રી પહાડવાળા મંદિર કહેવામાં આવે છે. ઘણા લોકો તેને જીજીબાઈ મંદિરના નામથી પણ ઓળખે છે.

એવું માનવામાં આવે છે કે, આ મંદિરમાં લોકો વ્રત માંગવા આવે છે. જ્યારે તેમનું વ્રત પૂર્ણ થાય ત્યારે તેઓ અહીં માતાને ચપ્પલ અથવા સેન્ડલ અર્પણ કરે છે. અહીં ફક્ત ચપ્પલ જ નહીં. પરંતુ, આ મંદિરમાં લોકો માતાને ચશ્મા, ટોપીઓ અને ઘડિયાળો પણ આપે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ પરંપરા લગભગ 20 વર્ષોથી ચાલે છે.

આ મંદિરની સ્થાપના પાછળની વાર્તા એ છે કે, ઓમપ્રકાશ મહારાજ નામના વ્યક્તિએ મૂર્તિ સ્થાપના સાથે શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યા હતા અને તેમનું કન્યાદાન પણ કરાવ્યું હતું. તેથી, તેઓ તેમની પુત્રી તરીકે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. જીજીબાઈ મંદિરમાં સ્થાપિત દેવીની પુત્રીની જેમ સંભાળ લેવામાં આવે છે અને તેની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

જો લોકોનું માનવામાં આવે તો જ્યારે કોઈ એવી ચૂક પડે છે અને માતા અર્પણ કરેલા કપડાંથી ખુશ નથી, તો પછી તેના કપડા દિવસમાં બે કે ત્રણ વાર બદલાય છે. આ મંદિર આખો દિવસ ખુલ્લું રહે છે અને લોકો માતાની મુલાકાત માટે આવતા જતા રહે છે. આ ઉપરાંત જણાવી દઈએ કે, શ્રદ્ધાળુ માતાને અર્પણ કરવામાં આવતી ચપ્પલ જરૂરિયાતમંદોને વહેચી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *