પતિ ખુબ જ દારુ પીતો હોવાથી પત્નીએ રાખી મોગલ માં ની માનતા, ત્યારે માતાની કૃપાથી પતિ દારુ સામું જોતો પણ બંધ થઈ ગયો…

સંતોની આ પવિત્ર ભૂમિ પર સૌ કોઈ ભક્ત દેવી દેવતાઓ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, ત્યારે આ ઘોર કળયુગમા માં મોગલ (Mogal ma) નો મહિમા અપરંપાર છે. માં મોગલ ના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે.

માતા મોગલ કચ્છના કબરાઉમાં આવેલા મોગલ ધામમાં સાક્ષાત બીરાજે છે. ત્યારે મણિધર બાપુ કબરાઉ ધામ બિરાજે છે. માતા મોગલ તેના ચરણે આવેલા દરેક ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. ત્યારે ઈચ્છા પૂર્ણ થતાં કેટલાક ભક્તો તો અહીં હજારો રુપિયા લઈને આવે છે. પરંતુ અહીં એકપણ રુપિયાનું દાન લેવામાં આવતું નથી. અહીં મણીધર બાપુ માતાની સેવા કરે છે.

એવામાં આજે અમે તમને એવા જ એક કિસ્સો વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમાં અમદાવાદના જયદીપભાઇ નામના વ્યક્તિ પોતાની માનતા પૂરી થતા ૫૧૦૦૦ રૂપિયા લઈ માં મોગલના દરબાર આવી પહોચ્યા હતા. આ દરમિયાન મણિધર બાપુએ પૂછ્યું હતું કે, બેટા શેની માનતા હતા. ત્યારે યુવકે જણાવ્યું હતું કે, હું પહેલા ખૂબ જ દારૂ પીતો હતો અને પરિવારજનો તેનાથી ખૂબ જ હેરાન હતા મારી પત્નીએ માનતા રાખી હતી કે જો મારો દારૂ બંધ થઈ જાય તો મા મોગલના સાનિધ્યમાં ૫૧૦૦૦ રૂપિયા ચડાવશે.

ત્યારે મણિધર બાપુએ આ રૂપિયા અને પરત આપતા જણાવ્યું કે તારા ઘરમાં જો દીકરી હોય તો એને આપી દેજે આ કોઈ ચમત્કાર નથી, પરંતુ તમારા પરિવારનો માં મોગલ પર વિશ્વાસ આસ્થા અને શ્રદ્ધા છે. ખૂબ સારું કાર્ય કર્યું વ્યસનથી દૂર રહો જેનાથી પરિવાર સારી જિંદગી જીવો. એટલે જ તો કહેવાય છે કે, જ્યાંથી દુનિયાનો અંત આવે ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે. આ તો આપનારી આઈ છે. આ રીતે માં મોગલે આજદિન સુધી અનેક પરચાઓ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *