સાધુતાના નામે મોટું કલંક: ચાર-ચાર મહિલાઓને નશીલી ગોળીઓ ખવડાવી પાર કરી હેવાનિયતની તમામ હદ

આશારામ, ફલ્હારી બાબા પછી વધુ એક બાબા ઢોંગી તપસ્વી બાબાનું પણ દુષ્કર્મી બાબાના રૂપમાં નામ જોડાઈ ગયું છે. જયપુર પોલીસે દુષ્કર્મી તપસ્વી બાબાની ધરપકડ કરી…

આશારામ, ફલ્હારી બાબા પછી વધુ એક બાબા ઢોંગી તપસ્વી બાબાનું પણ દુષ્કર્મી બાબાના રૂપમાં નામ જોડાઈ ગયું છે. જયપુર પોલીસે દુષ્કર્મી તપસ્વી બાબાની ધરપકડ કરી છે. આ બાબા વિરુદ્ધ ચાર મહિલાઓએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. ભાંકરોટા પોલીસે પીડિતાની મેડીકલ તાપાસના આધારે આરોપી બાબાની ધરપકડ કરી છે.

તપસ્વી બાબા પોતાને ભગવાન કહેતા હતા. પ્રસાદ તરીકે ગાંજાની ગોળીઓનો ઉપયોગ કરતા હતા. મહિલાઓને આશ્રમમાં ઉપર લઈ જતો હતો. નશામાં હોવાથી મહિલાઓને કહતો કે, બધું મને અર્પણ કરી દો. અને ત્યારબાદ મહિલાઓ સાથે દુષ્કર્મ કરતો હતો. અને કોઈને ન કહેવાની ધમકી પણ આપતો હતો. ભાંકરોટા પોલીસ અધિકારી મુકેશ ચૌધરીએ જણાવ્યું કે, કેસ દાખલ થયા બાદ બાબા ફરાર થઈ ગયા હતા. તપાસ બાદ યોગેન્દ્ર મહેતા ઉર્ફે તપસ્વી બાબાની ધરપકડ કરવામાં આવી છે.

પીડિતાએ રીપોર્ટમાં જણાવ્યું કે, તેના લગ્ન 1998માં જયપુરના બિંદાયકા ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં થયા હતા. તેના સાસરાવાળાના કુળ દેવતા તપસ્વી બાબા છે. બાબાનું આશ્રમ મુકુંદપુરામાં છે. બાબાના આશ્રમમાં તેના પરિવારની 25 વર્ષથી અવર-જવર છે. સમય જતા બાબની ગાદીને યોગેન્દ્ર મહેતાએ સાંભળી લીધી અને તપસ્વી બાબનું આશ્રમ ખોલ્યું. આ તપસ્વી બબમું આશ્રમ મુકુંદપુરા ઉપરાંત રાતલ્યા સીકર રોડ અને દિલ્લી રોડ પર પણ છે.

યોગેદ્ર બાબા પોતાને તપસ્વી કહેવા લાગ્યા. પીડિત મહિલાનો પરિવાર પણ આશ્રમમાં જતો હતો. તેનો પતિ પણ વારંવાર બાબા પાસે જતા હતા અને સત્સંગ સાંભળતા હતા. બાબાએ તેના પતિને કહ્યું કે આખા પરિવારને આશ્રમમાં લઈને આવો. ત્યારબાદ તે તેના પતિ સાથે આશ્રમમાં જવા માંડી. પરણીતાએ જણાવ્યું કે, આશ્રમમાં તે 5-6 મહીનાના અંતરે જતી હતી. અને ત્રણ -ચાર દિવસ ત્યાં રોકાઈને સેવા કરતી હતી. શરૂઆતના કેટલાક દિવસ બધું સરખું ચાલતું હતું પરંતુ પછી ગડબડ થવા માંડી.

બાબા મહિલાઓને આશ્રમમાં બોલાવતો અને કહેતો કે, હું જ ભગવાન છું. તમે મારી સેવા કરો. બધું ગુરુને સમર્પણ કરી દો. પરણીતાએ જણાવ્યું કે, આશ્રમમાં દરરોજ રાતે 8-10 મહિલાઓ રોકાતી હતી. પરિણીતાનો આરોપ છે કે, તેને એક દિવસ રાતે બાબાએ છત પર બનાવવામાં આવેલી એક રૂમમાં બોલાવી. તે રૂમમાં તેણે ગોળી આપીને કહ્યું કે પ્રસાદ છે.

બાબે કહ્યું કે, ભગવાનનું ધ્યાન કરો અને સમર્પણનો ભાવ રાખીને બધું અર્પણ કરી દો. ગોળી ખાતા જ તેને નશો થવા માંડ્યો. તે દરમિયાન બાબાએ તેની સાથે દુષ્કર્મ કર્યું. 6 મહિના પછી ફરીવાર આશ્રમ ગઈ તો ફરી વાર દુષ્કર્મ કર્યું. વિરોધ કર્યો તો બરબાદ કરવાની ધમકી આપવા લાગ્યો.

ત્રણ દિવસ પહેલા જ તેનો પતિ તેની 20 વર્ષની પુત્રીને આશ્રમમાં લઈ ગયો હતો. લગ્નજીવનમાં પુત્રીને આશ્રમમાં લઈ જવાની ના પાડી. પતિએ તેને આશ્રમમાં ન લેવા કહ્યું. પરિણીત મહિલાએ તપસ્વી બાબાની આખી ક્રિયાઓ જણાવી. પરિવારમાં વાત કર્યા પછી જાણવા મળ્યું કે બાબાએ તેની ભાભી અને જેઠાણી સાથે પણ બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેના પતિ અને ભાઈએ બાબાને બોલાવીને બળાત્કાર અંગે પૂછ્યું ત્યારે બાબાએ તેમને બરબાદ કરવાની ધમકી આપી હતી.

ત્રણ દિવસ પહેલા તેનો પતિ તેની 20 વર્ષની દીકરીને લઈને આશ્રમ ગયો હતો. પત્નીએ તેની દીકરીને આશ્રમ લઈ જવાની ના પડી હતી. ત્યારે પતિએ તેને ત્યાં નહિ લઈ જવા પાછળનું કારણ પૂછ્યું. જેથી પત્નીએ તપસ્વી બાબની કરતુત વિષે જણાવ્યું. પરિવાર સાથે વાત કરી ત્યારે ખબર પડી કે, ભાભી અને જેઠાણી સાથે પણ ડરાવી-ધમકાવીને દુષ્કર્મ કર્યું હતું. તેના પતિ અને ભાઈએ બાબને ફોન કરીને દુષ્કર્મ અંગેપૂછ્યું તો બાબાએ બરબાદ કરવાની ધમકી આપી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *