માતાના મોતના વિરહમાં ગંગામાં કુદી પડ્યા બંને દીકરા, પિતાને ડૂબતા જોઈ તેમના પણ દીકરા કુદ્યા. હજુ સુધી નથી મળ્યા

ઉત્તર પ્રદેશના ઉન્નાવ (Unnao, Uttar Pradesh) માં બંગારામાઉ કોતવાલી વિસ્તારમાં આવેલા નાનમાઉ ઘાટ પર માતાના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરવા આવેલા એક વ્યક્તિએ પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. આ દરમિયાન મોટા ભાઈ મિન્ટુને ડૂબતો બચાવવા નાના ભાઈ કમલેશ પણ ગંગામાં કૂદી પડ્યો હતો. બંનેને ડૂબતા જોઈ કમલેશના બંને પુત્રો પણ કૂદી પડ્યા હતા. ત્યારે ડાઇવર્સે કમલેશ અને તેના ભાઈને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, પરંતુ કમલેશના પુત્રોનો પત્તો લાગ્યો નથી.

બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂરી સાદિકપુર ગામના રહેવાસી રાજા પાસીની પત્નીનું અવસાન થયું હતું. આ પછી પરિવાર અંતિમ સંસ્કાર માટે નાનામૌ ઘાટ ગયો હતો. આ દરમિયાન મૃતકના મોટા પુત્ર મિન્ટુએ ગંગામાં ઝંપલાવ્યું હતું. ભાઈને ડૂબતો જોઈ નાનો ભાઈ કમલેશ પણ કૂદી પડ્યો હતો.

ત્યારે કાકા અને પિતાને ડૂબતા જોયા બાદ કમલેશના પુત્રો 22 વર્ષીય આકાશ અને 20 વર્ષીય રાકેશ પણ કૂદી પડ્યા હતા. ગંગાના જોરદાર પ્રવાહને કારણે બંનેનો પત્તો લાગ્યો ન હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટનાસ્થળે પહોંચી હતી અને ગોતાખોરોની મદદથી મિન્ટુ અને કમલેશને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પરંતુ કમલેશના બંને પુત્રોની કલાકો સુધી શોધખોળ કરવા છતાં પત્તો લાગ્યો ન હતો. હાલ પોલીસ અને ગોતાખોરો શોધખોળમાં લાગેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *