રીંગણા પર જોવા મળ્યું ભગવાન રામનું નામ, દર્શન માટે મોટી સંખ્યામાં એકઠા થયા લોકો

બીકાપુર: અયોધ્યાના બીકાપુર તહસીલના બાજાર ગામનો રહેવાવાળો ડોક્ટર રામ પ્રતાપના બગીચામાં એક આવું રીંગણાનો છોડ છે, જેમાં રામ નામ લખેલ રીંગણું આવ્યું છે. લોકો રીંગણા પર રામ લખેલું જોઈ આશ્ચર્યચકિત થયા છે. ડોક્ટર રામ પ્રતાપ સિંહએ તે રીંગણુ તોડીને પોતાના પૂજા ઘર રાખ્યું છે અને તેની પૂજા-અર્ચના પણ શરુ કરી દીધી છે, એટલી જ નહીં, રીંગણાનો છોડ પણ ત્યાં રાખવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, રીંગણામાં પણ રામના દર્શન મેળવવા માટે લોકો ઉત્સુક છે. છેલ્લાં 20 વર્ષોથી મેહર કબીરપુર નિવાસી રામ પ્રતાપ સિંહ જાના બજાર બીકાપુર માર્ગ પર રહે છે. આ ચમત્કાર તેનાં શાકભાજીના ક્યારામાં લાગેલ એક રીંગણાના છોડમાં જોયો મળ્યો છે. જયારે એક રીંગણના ફળ પર રામ નામ જોયુ ત્યારે તેની પત્નીને તેને તોડીને પૂજા ઘરમાં મૂકી દીધું હતું.

એટલું જ નહીં, છોડમાં લાદેલા અન્ય ફળોમાં પણ રામનું નામ સ્પસ્ષ જોવા મળે છે. થોડાક જ સમયમાં આ વાત સમગ્ર વિસ્તારમાં કૌતુહલનો વિષય બની ગઈ હતી. લોકો રીંગણાની ક્યારીની પાસે આખો દિવસ ઉભા રહીને વાતો કરતાં હતા. શાકભાજીની ખેતી કરવાવાળો રામ પ્રતાપ સિંહ આને ભગવાનની કૃપા માને છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, તેનાં ઘર રીંગણાના ઘણાં ફળોમાં રામ નામ ચોખું દેખાય રહ્યું છે, જે એક ચમત્કારથી ઓછું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *