અશક્યને પણ શક્ય કરી બતાવે તે મોગલ માં – માનતા પૂરી થતા રૂપિયા લઈને આવી પહોચ્યા કબરાઉ ધામ

સૌ કોઈના દુઃખ હરનારી એવી માં મોગલ કે જેઓ કોઈ પણ ભક્તોનો વાળ પણ વાંકો ન થવા દે, ત્યારે માં મોગલ એ આજ-દિન સુધી એવા પરચા બતાવ્યા છે કે સૌ કોઈ લોકો માં મોગલ ની માનતા માને છે. તેથી જ તો માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી બધા ભક્તોની બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને ભક્તો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતાઓ માને છે. તેથી જ તો બધા ભક્તોની મનોકામના પૂર્ણ થતાની સાથે જ તેઓ માં મોગલના દરબારે આવી પહોંચે છે.

સાંભળ્યું છે કે માં મોગલ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા વિદેશો સુધી ફેલાયેલી છે. સૌ કોઈ લોકો માં મોગલ ના દ્વારે આવે છે ત્યારે હસતા મોઢે ઘરે પરત કરે છે. એવામાં જ ચાવંડ થી માનસી બેન નામના મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે રૂપિયા 8000 લઈને માં મોગલના દરબારે આવી પહોંચી. કચ્છમાં આવેલા કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે સાક્ષાત બિરાજમાન એવા મણિધર બાપુ ના આશીર્વાદ લીધા.

મણીધર બાપુએ એ મહિલાને આશીર્વાદ આપ્યા અને 8000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તું તારી નણંદને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ ને આવા કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. માં મોગલ તો બધા ભક્તો માટે સાક્ષાત પરચા પૂર્યા છે.

કહેવાય છે ને કે કોઠીમાં દાણા અને ખિસ્સામાં નાણા કોઈદી ના ખૂટવા દે એવી માં મોગલ કે જે બધા ભક્તોને એવા એવા પરચાઓ બતાવે છે કે ભક્તો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતાઓ માને છે અને પૂર્ણ પણ થાય છે. દરેક ભક્તો માનતા પૂર્ણ થતાની સાથે જ હસતા મોઢે માં મોગલ ના દ્વારે આવી પહોંચે છે અને પોતાની માનતા પૂરી કરતા નજરે પડે છે. જ્યાં માંગવાથી મળી જાય એને સંસાર કહેવાય અને જ્યાં માંગ્યા વગર મળી જાય અને માં મોગલ નો દરબાર કહેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *