ઘરના નોકર સાથે જ પ્રેમમાં પડી “ભાભીજાન” અને પ્રેમી સાથે મળી પતિના કરી દીધા એવા હાલ કે હવે…

ઘણીવાર તમે ફિલ્મમાં જોયું જ હશે કે, ઘરની શેઠાણીને ઘરના કામકાજમાં મદદ કરતા નોકરની સાથે પ્રેમ થઈ જતો હોય છે. હાલમાં ગુજરાતમાંથી પણ આવી એક…

ઘણીવાર તમે ફિલ્મમાં જોયું જ હશે કે, ઘરની શેઠાણીને ઘરના કામકાજમાં મદદ કરતા નોકરની સાથે પ્રેમ થઈ જતો હોય છે. હાલમાં ગુજરાતમાંથી પણ આવી એક ઘટના સામે આવી છે. રાજ્યમાં સતત ગુનાની સંખ્યામાં બમણો વધારો થતો જઈ રહ્યો છે. આની ઉપરાંત હાલમાં ગેરકાયદેસર સંબંધોને લઈ બનાવોની સંખ્યામાં પણ ખૂબ વધારો જોવા મળ્યો છે.

હત્યાની ઘટનામાં રાજ્યમાં સૌથી વધુ હમણાં કોરોના બાદ વધારો જોવા મળ્યો છે ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. આ ઘટનામાં ગેરકાયદેસર સંબંધ બાંધવાને કારણે પત્નીના પ્રેમી તેમજ તેમના સહયોગી સાથે મળીને તેમના પતિને કામ તમામ કરી દીધું હતું.

તેમના પતિની કુહાડીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને અંજામ આપીને આરોપીની પત્ની તેમના રૂમમાં સુઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને પોલીસે માત્ર 4 કલાકમાં કેસ ઉકેલી નાંખવામાં આવ્યો હતો. આ ઘટનામાં મૃતકની પત્ની તેમજ તેમના પ્રેમી તથા તેમને સાથ આપનાર સહયોગી વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.

આની સાથે-સાથે અન્ય 3 આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓએ હત્યા માટે ઉપયોગમાં લીધેલ સાધનસામગ્રી પોલીસે જપ્ત કરી લીધી છે. આની ઉપરાંત સુરતના પોલીસ કમિશનરે કહ્યું છે કે, તેમને એવી માહિતી મળી હતી કે, પ્રેમ નારાયણ મીણાની હત્યા કોઈ અજાણ્યા લોકોએ કરી છે.

જ્યારે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે, તેમને નારાયણ મીણા ખૂબ જ લોહી લુહાણ હાલતમાં પડયા હતા. મૃતકની દીકરીએ પોતાની માતા-પિતાને ચિઠ્ઠી લખી હતી. જેથી પોલીસને પ્રાપ્ત થઈ ગઈ હતી આમ પોલીસ દ્વારા એક પછી એક કડીઓ જોડવામાં આવતા ઘટનાનો આશ્ચર્યચકિત ખુલાસો થયો હતો.

પોલીસે મૃતકની પત્ની રુકમણી તેમજ નોકર જીતેન્દ્રની ધરપકડ કરી હતી. જયારે તેમના સાથીદાર હંસરાજ ભીલની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ તમામ લોકોની પોલીસે પૂછપરછ કર્યા બાદ સમગ્ર ઘટનાથી અજાણ હોવાની જાણ કરી હતી પરંતુ પોલીસે કડક પુછપરછ કરતા માત્ર 50 મિનીટમાં જ તેમનો ગુનો કબૂલી લેવામાં આવ્યો હતો.

ગુરુવારની મોડી રાત્રે જીતેન્દ્ર તેમજ સાથી હંસરાજ હથિયાર લઇને મકાનની પાછળ આવી ગયા હતા. જયારે તેમના પત્ની દ્વારા રુકમણી તેમના મકાનના પહેલા માળ ઉપર બનાવેલ રૂમની પાછળની બારીમાંથી દોરડુ લટકાવીને જીતેન્દ્ર તથા હંસરાજને મકાનની ગેલેરીમાંથી એન્ટ્રી આપવામાં આવી હતી.

ત્યારપછી આ ત્રણેય લોકોએ મળીને રાત્રે પ્રેમ નારાયણના ચહેરા તથા ગળા પર કુહાડીથી હુમલો કરીને તેમની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા પછી જીતેન્દ્ર તથા હંસરાજ ત્યાંથી ફરાર થઈ ગયા હતા જેથી કોઈપણ વ્યક્તિને તેમના પર શંકા ન જાય.

ત્યારબાદ પત્ની રુકમણી તેમના ઘર હાજર રહીને પોતાના રૂમમાં સુઈ ગઈ હતી. ત્યારબાદ તેણે સમગ્ર ઘટનાને અંજામ આપ્યા પછી દીકરી અને દીકરાનો રૂમ બહારથી બંધ કરી દીધો હતો. ઘરનો મુખ્ય દરવાજો ખોલીને તેમણે એવી કહાની બનાવી હતી કે, પ્રેમ નારાયણ મકાનના આંગણામાં સૂતો હતો ત્યારે રાત્રે પત્ની તથા દીકરી અને તેમના દીકરાને રૂમમાં મોકલીને તેમનો બહારથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો.

બીજી બાજુ રાત્રે 1:00 વાગ્યે પ્રેમ નારાયણની હત્યા કર્યા પછી સવાર સુધી પોતાના રૂમમાં જ સૂઈ ગઈ હતી. આ દરમિયાન ઘરના મુખ્ય દરવાજાની અંદરથી બંધ કરવામાં આવ્યો ન હતો. સવારમાં તેમનો ભત્રીજો દરરોજ દૂધ લઈને આવતો હતો એમ દૂધ લેવા આવ્યો હતો.

પ્રેમ નારાયણ મિશ્રાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ તેમણે બૂમાબૂમ કરતાં તમામ લોકોને જાણ થઈ હતી. ત્યારબાદ તેમણે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી તેમજ તેમના ઘરે કામ કરતો યુવક તથા શેઠાણી સાથે પ્રેમસંબંધ થઈ ગયા હતા. તેમનું ધાર્યું કામ કરવા માટે જીતેન્દ્ર પેરવાના મેં એક વ્યક્તિને 70,000 રૂપિયામાં વાર્ષિક પગાર તરીકે રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી તેમના ઘરે કામ કરતો હતો તેમજ પ્રેમ નારાયણ જ્યારે ઘરમાં ન હોય ત્યારે તેમની પત્ની અને જીતેન્દ્રની વચ્ચે આડા સંબંધો બંધાયા હતા. તેમના સંબંધો બાબતે તેમનો પતિ પ્રેમ નારાયણ અડચણરૂપ બની ગયો હતો. જેથી તેઓ બંનેએ ભેગા થઈને એની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *