મોટા સમાચાર: ધોરણ 10 અને 12નાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર, આ તારીખે શરુ થશે પરીક્ષા

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાવાયરસ ની બીજી લહેરે આંતક મચાવ્યો છે. ત્યારે હાલમાં વાયરસના કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. કોરોના વાયરસના કેસ વધતા રાજ્યમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. જોકે રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત બોર્ડ દ્વારા રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓના લઈને તારીખો જાહેર કરવામાં આવી છે. 15 જુલાઈથી રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. પરીક્ષા અંગેનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના બધાજ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. ત્યારે રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા પણ માસ પ્રમોશન અંગેની માંગ કરવામાં આવી હતી. જોકે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરીક્ષા અંગેનું સમય પત્રક આગામી ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *