ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં એક દુ:ખદાયક માર્ગ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે નવ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ અધિકારીઓને ઈજાગ્રસ્તોની વહેલી તકે સારવાર કરવા તેમજ ઘટનાની જાણ કરવા નિર્દેશ આપ્યા છે.
આ ઘટના એનએચ 28 હાઈવે પર રુનાહીના સોહવાલ ચાર રસ્તા નજીક બની હતી. રવિવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ જુબેરગંજ નજીક ટેમ્પો અને ટ્રક સાથે અથડાતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે નવ લોકો ઘાયલ થયા છે. તે હોસ્પિટલમાં દાખલ છે. આમાંથી બે લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓટો રોંગ સાઈડમાં હતી. અકસ્માતનો ભોગ બનેલા લોકો સરયુના ધેમવા ઘાટ પર માછલી પકડવા જઈ રહ્યા હતા. મૃતકો અને ઘાયલ થયેલા લોકો પૂરકાલેન્ડરના ભાદરસાના રહેવાસી છે.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કુલ 13 લોકો ઓટોમાં હતા. સવારે ઓટો ડ્રાઇવર માર્ગ ભૂલી ગયો હતો, જેના કારણે તે ઓટો રોંગ સાઈડમાં જઈ રહી હતી. દરમિયાન સામેથી આવી રહેલ એક હાઇ સ્પીડ ટ્રક સાથે ટકરાઈ હતી. આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સત્તાધીશો પાસેથી ઘાયલોની પૂછપરછ કરી છે. તેમજ અધિકારીઓને આ બાબતે રિપોર્ટ કરવા જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en