ભાજપ કોર્પોરેટરની પુત્રવધૂનો આપઘાત- લગ્નના ત્રણ જ મહિનામાં પત્નીએ ભર્યું જીવનનું અંતિમ પગલું… કારણ જાણી લાગશે આંચકો

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. કોઈ લોકો જીવનમાં આવતી મુશ્કેલેથી હાર માનીને આવું પગલું ભરતા હોય છે તો કોઈ લોકો ઘર કંકાસના કારણે આપઘાત કરતા હોય છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેર માંથી સામે આવી છે.

અમદાવાદમાં આવેલા સરખેજમાં ભાજપના કોર્પોરેટરની પુત્રવધુએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. મેળલી માહિતી અનુસાર હજુ લગ્ન થયાના માત્ર ત્રણ માસજ થયા હતા. લગ્નના 3 માસમાં જ પરિણિતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. સુખી લગ્નજીવનના સપના જોઈને સાસરે ગયેલી દીકરીએ પતિના વ્યસનની લતથી કંટાળીને પોતાનું જીવન ટુકાવી લીધું હતું.

સરખેજમાં રહેતા ભાજપના કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્ર જયના લગ્ન જાહ્નવી સાથે ત્રણ માસ પહેલા થયા હતા. જય સાણંદમાં અર્બન હેલ્થ સેન્ટરમાં BAMS ડૉક્ટર તરીકે ફરજ બજાવતો હતો. જાહ્નવીએ જય સાથે ત્રણ મહિના પહેલા સુખી જીવનની શરૂઆત કરી હતી.જાહ્નવીને લગ્નના બીજા દિવસે પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી જાણ થઇ હતી.

જાહ્નવીને જયારે જાણ થઇ ત્યારે તેને ખુબજ આઘાત લાગ્યો હતો. પતિનું દારૂ અને ગુટખા વ્યસન લગ્ન જીવનમાં ઝઘડાનું મુખ્ય કારણ બન્યું હતું. જય પરમાર તેની પત્ની જાહ્નવીને અવાર નવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. પતિના ત્રાસથી કંટાળીને પત્ની જાહ્વવીએ માત્ર 3 માસનો લગ્ન જીવનનો અંત આપઘાત કરીને લાવી દીધું હતું.

30 જાન્યુઆરીના રોજ જાહ્નવી અને જયએ સમાજના રીતરિવાજથી લગ્ન કર્યા હતા. લગ્ન પછી બન્ને વચ્ચે અવાર નવાર દારૂ પીવા બાબતે ખુબજ ઝઘડો થતો હતો. એક વરતો જાહ્નવી રિસાઈને પિયર પણ અવી ગઈ હતી. પરંતુ સામાજિક રીતે સમાધાન કરીને તેને પાછી લાવ્યા હતા.

મળેલી માહિતી અનુસાર જય અને જાહ્નવી 22 માર્ચના રોજ સારંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા.ત્યારે ત્યારે ના સસરા અરવિંદ ભાઈએ પુત્રવધુને દીકરો દારૂ વધુ પીવે છે જેથી મંદિરે દારૂ બંધ કરવાની બાધા લેવા માટેનો ફોન પણ કર્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે, જયારે બન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો ત્યારે જય પરમાર ઉશ્કેરાઈને જાહ્નવીને માર પણ મારતો હતો. ત્યારે 26 માર્ચના રોજ પતિ જયના માનસિક ત્રાસથી કંટાળીને જાહ્નવીએ આપઘાત કરી લીધો હતો. હાલ પોલીસે પતીની વિરુધ દૂષપેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ આરોપી ફરાર થઇ ગયો હતો, તેથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *