નવસારીમાં જમીનના નાનકડા શેઢામાટે લોહીયાળ જંગ- જેઠે નિર્મમતાથી કરી નાખી વહુની હત્યા

નવસારી(ગુજરાત): ખેતરના શેઢાના કારણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પારિવારિક સંબંધોની હત્યા કરી નાખવામાં આવી છે. ખેતરના શેઢાને લઇને ગુસ્સે ભરાયેલા જેઠે વહુની હત્યા કરી નાખી છે. સમગ્ર ઘટના કંઈક એવી હતી કે, જેમાં ચીખલીના કુકેરી ગામના તોરવણી ફડીયાના ખેતરમાં રમીલાબેન દિપકભાઈ પટેલ નામની મહિલા કે જેમની ઉંમર 45 વર્ષની છે. રમીલાબેન પોતાના પરિવાર સાથે રહેતી હતી. આ મહિલાને ગામના ખેતરમાં કામ કરતી વેળાએ તેના સંબંધીએ કોદાળીના 2 ઘા મારીને ઈજાગ્રસ્ત કરી હતી. તેને કારણે મહિલાનું મોત થયું હતું.

તારીખ 24 ના રોજ સાંજે 5:30 વાગ્યે મૃતક મહિલાના પતિના કાકા ભાઈ એવા અશોકભાઈ પટેલે કોદાળી લઈને આવ્યા અને કામ કરતી રમીલાબેન પર કોદાળીના ઘા ઝીંકી દીધા હતા. રમીલાબેન પોતાનો જીવ બચાવવા માટે ખેતરમાંથી ભાગી રહ્યા હતા. આ દરમિયાન આરોપી અશોકભાઈએ બીજો ઘા ઝીકી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી. જેને કારણે તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જોકે પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતા સ્થળ ઉપર પહોંચીને આરોપી અશોક પટેલની ધડપકડ કરી હતી.

ત્યારબાદ ચીખલી પોલીસે રમીલાબેનના મૃતદેહને ચીખલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી અશોક પટેલ મૃતક રમીલાબેનના પતિનો કાકા ભાઈ થાય છે. જોકે આ સમગ્ર ઘટના અંગે તપાસ કરતા ઘરના શેઢા અંગે વારમ વાર તેમની વચ્ચે ઝઘડો થતો હોકાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે આરોપી અશોકભાઈ પટેલને ડીટેન કરીને આગળની તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *