હત્યા કે આત્મહત્યા? ખરીદી કરવા ગયેલ બે બહેનપણીઓની બીજે દિવસે કેનાલમાંથી મળી આવી લાશ

પાટણ જીલ્લામાં કેનાલોમાં ઝંપલાવવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્યારે આવી જ ઘટના પાટણના હારીજ તાલુકા કુરેજાથી ભલાણાને જોડતી કેનાલમાં વધુ બે યુવતીઓએ ઝંપલાવ્યુ હતું. બંને બહેનપણીએ એક સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જેમાં એક યુવતી સમી તાલુકાના મુબારકપુરા ગામની છે જયારે અન્ય બીજી યુવતી શંખેશ્વર તાલુકાના સીપર ગામની છે. આખરે જોવાનું એ છે કે આ હત્યા છે કે આત્મ હત્યા ? તે દિશામાં પોલીસ તપાસ શરુ કરી દેવામાં આવી છે.

બજારમાં ખરીદી કરવા ગયેલી બહેનપણીઓ પરત ન ફરી :
મળતી માહિતી અનુસાર, પાટણમાં બે યુવતીઓની લાશ ભલાણા કેનાલમાંથી મળી આવી  છે. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. શંખેશ્વર તાલુકાના સીપાર ગામમાં રહેતા જગદીશભાઈ અજમલભાઈ જાદવની સીપાર ગામમાં રહેતી 21 વર્ષની ભત્રીજી સ્નેહલ નનુભાઈ જાદવની અને મુબારકપુરા ગામે રહેતી 23 વર્ષીય તેની બહેનપણી જયશ્રી ગગજીભાઈ સિંધવ મંગળવારના રોજ શંખેશ્વર ખાતે ખરીદી કરવા માટે નીકળી હતી.

પરંતુ બંને બહેનપણી મોડી રાત થતા પણ ઘરે પરત આવી ન હતી. જેને લીધે તેમના પરિવાર ચિંતિત બન્યા હત્યા. બંને યુવતીઓ સાંજ સુધીમાં ઘરે પરત ન ફરતા પરિવારે તપાસ હાથ ધરી હતી અને પરિવારે શોધખોળ હાથ ધરી હતી.

હત્યા કે આત્મહત્યા?:
પરિવારે કરેલ શોધખોળ દરમિયાન બંને યુવતીઓના મૃતદેહ બુધવારના રોજ સવારે હારીજ તાલુકા કુરેજાથી ભલાણાને જોડતી કેનાલમાંથી મળી આવ્યા હતી. આ સમગ્ર ઘટનાને જાણીને તેમના પરિવારમાં માતમ છવાઈ હતો. પરંતુ આ બંને બહેનપણીઓએ શા માટે કેનાલમાં મોતની છલાંગ લગાવી તેની તપાસ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોવાનું એ છે કે આ હત્યા છે કે પછી આત્મહત્યા? જે મુદ્દે હાલ પોલીસ તપાસ  કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *