જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી; 2ના મોત, 20 લોકો ઘાયલ

Jammu and Kashmir Accident News: જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં (Jammu and Kashmir Accident News) બે લોકોના મોત નીપજ્યા છે અને 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, બસ મેંઢર તરફ જઈ રહી હતી ત્યારે ખોડ ધારા નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસ, સેના અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો
ચોથી મેના રોજ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાનું વાહન ઊંડી ખીણમાં ખબક્યું હતું. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના નિધન થયા હતા. મૃતકોની ઓળખ અમિત કુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ હતી. સેનાનું વાહન જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતું. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન ખીણમાં ખબક્યું હતું.

ઉલ્લેખનીય કે,10મી એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંધાર વિસ્તારમાં ટાટા સુમો વાહન રસ્તા પરથી લપસીને ખીણમાં ખબકતા સાત મહિલાઓ સહિત નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

રવિવારે રામબનમાં આ અકસ્માત થયો હતો
રવિવારે રામબન જિલ્લામાં એક વાહન રસ્તા પરથી લપસી ગયું હતું. આમાં ત્રણ સેનાના જવાનોના મોત થયા હતા. વાહન રસ્તા પરથી લપસીને 700 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ સંદર્ભમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાનો ટ્રક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતો ત્યારે સવારે લગભગ 11.30 વાગ્યે બેટરી ચશ્મા નજીક અકસ્માત થયો હતો.